પ્રથમ વખત સાંસદ સુકાંતા મજુમદાર બંગાળ ભાજપના અધ્યક્ષ બન્યા, જાણો ફેરબદલના કારણો?
પશ્ચિમ બંગાળમાં પાર્ટીના આંતરીક વિખવાદો સામે લડી રહેલા ભાજપે સંગઠનમાં મોટો ફેરબદલ કર્યો છે. દિલીપ ઘોષની જગ્યાએ બાલુરઘાટથી લોકસભા સાંસદ સુકાંતા મજુમદારને પ્રદેશ અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં પાર્ટીના આંતરીક વિખવાદો સામે લડી રહેલા ભાજપે સંગઠનમાં મોટો ફેરબદલ કર્યો છે. દિલીપ ઘોષની જગ્યાએ બાલુરઘાટથી લોકસભા સાંસદ સુકાંતા મજુમદારને પ્રદેશ અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. દિલીપ ઘોષને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. એક તરફ જ્યાં પેટાચૂંટણી માથે છે, બીજી તરફ મોટા નેતાઓ પક્ષ છોડીને જઇ રહ્યા છે, આવી પરિસ્થિતિમાં ભાજપ સામે પોતાના નેતાઓને કાબૂમાં રાખવાનો પડકાર છે. જાણો શા માટે ભાજપે આ પગલું ભર્યું છે.

પક્ષમાં રિવર્સ માઇગ્રેશન ફેઝ
ભાજપે એવા સમયે સંગઠન બદલવાનો નિર્ણય લીધો છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ એક દિવસ પહેલા જ પાર્ટી છોડીને ટીએમસીમાં જોડાયા હતા.
હકીકતમાં બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ ભાજપમાં વિખવાદ વધી ગયો છે. મુકુલ રોય અને બાબુલ સુપ્રિયો સહિત ઘણા મોટા નેતાઓએ રાજીનામા આપી દીધા છે. આવી સ્થિતિમાં ભાજપ સમક્ષ પડકાર છે કે, તેની પાસે બચેલા નેતાઓને બચાવવા.
બંગાળમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 77 થી ઘટીને 71 થઈ ગઈ છે. આ સાથે જ સાંસદોની સંખ્યા પણ ઘટીને 17 કરી દેવામાં આવી છે. બાબુલ સુપ્રિયો પહેલા મુકુલ રોય, તન્મય ઘોષ, વિશ્વજીત દાસ અને સૌમન રોય પાર્ટી છોડીને ટીએમસીમાં જોડાયા છે.

ભવાનીપુર પેટા ચૂંટણીમાં TMC તરફથી પડકાર
30 સપ્ટેમ્બરના રોજ હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સાથે સંસેરગંજ અને જંગીપુરમાં પેટા ચૂંટણી યોજાવાની છે. CM મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી મેદાનમાં છે. મમતા બેનર્જી માટે મુખ્યમંત્રી પદ પર રહે તે માટે આ ચૂંટણી જીતવી ખુબ જ મહત્વની છે અને તેઓ જીત અંગે પણ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. આ બેઠક માટે ઉમેદવાર શોધવા માટે ભાજપને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણા નેતાઓના ઇનકાર બાદ આખરે ભાજપે યુવા નેતા પ્રિયંકા તિબ્રેવાલ પર દાવ લગાવ્યો છે.
દિલીપ ઘોષની કાર્યશૈલી પર સવાલો
બંગાળ વિધાનસભામાં હાર બાદ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પર સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે જ તેમની સાથે પક્ષના અન્ય નેતાઓની નારાજગી પણ ખુલ્લેઆમ સામે આવી હતી. કેટલાક સાંસદો અને નેતાઓએ દિલીપ ઘોષના વર્તન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. નેતાઓએ આરોપ લગાવ્યો કે, ઘોષ જાહેરમાં પોતાની જ પાર્ટીના સાથીઓ સામે શરમજનક ટિપ્પણી કરે છે. દિલીપ ઘોષને બાબુલ સુપ્રિયોએ પાર્ટી છોડવાનું કારણ પણ જણાવવામાં આવી રહ્યું છે.
કોણ છે સુકાંત મજુમદાર?
સુકાંતા મજુમદાર બાલુરઘાટથી પહેલી વખત લોકસભાના સાંસદ બન્યા છે. તેમણે આ બેઠક પરથી TMC સાંસદ અર્પિતા ઘોષને 33 હજાર મતોથી હરાવ્યા હતા.
હાલમાં તેઓ સિક્કિમમાં ભાજપના પ્રભારી અને ઉત્તર બંગા પ્રદેશના સહ સંયોજક હતા. ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ભરવા માટે નવા ચહેરાની જરૂરિયાત અનુભવાઈ હતી અને માનવામાં આવે છે કે, આ બાબતને ધ્યાનમાં રાખીને ભાજપે પશ્ચિમ બંગાળમાં ફેરફાર કર્યો છે.












Click it and Unblock the Notifications
