'સપ્ટેમ્બર સુધીમાં થઇ શકે છે લોકસભાની ચૂંટણી'

મુલાયમે પાર્ટી કાર્યકર્તાઓને મતદાતાઓની યાદીઓની દેખરેખ કરવાની સાથે જનતા વચ્ચે જઇને તેમની સમસ્યાઓને હલ કરવાનો પ્રયત્ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે જ્યાં પણ સમસ્યા હોય તેને તુરંત અધિકારીઓને સામે લાવો.
તેમણે કહ્યું છે કે તે મુખ્યમંત્રી અખિલેશ યાદવને આ સંબંધમાં વાતચીત કરશે કે અધિકારી આમ જનતાનું કામ કરી રહ્યાં છે કે નહીં. જો અધિકારીઓ આમ જનતાની સમસ્યાઓના સમાધાનમાં રસ ના લઇ રહ્યાં હોય તો પાર્ટી કાર્યકર્તાઓએ આ અંગે મુખ્યમંત્રીને અવગત કરવા જોઇએ. દિલ્હીમાં ગેંગ રેપને એક ગંભીર બાબત જણાવતા તેમણે કહ્યું કે, એખ ષડયંત્ર હેઠળ અન્ય મુદ્દાઓને વધારીને આ મામલાને ડામી દેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
