For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'

માયાવતીએ હાર માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવી હતી. ત્યારબાદ મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે ટ્વીટ કરીને બસપા પ્રમુખ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બસપા-રાલોદ-સપાવાળા મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યુપીમાં બસપાને 10 અને સપાને માત્ર 5 સીટોથી સંતોષ કરવો પડ્યો હતો જ્યારે રાલોદનું ખાતુ પણ ખુલ્યુ નહોતુ. સોમવારે બસપા પ્રમુખ માયાવતીએ આ હારની સમીક્ષા કરવા માટે પાર્ટીના પદાધિકારીઓની દિલ્લીમાં બેઠક બોલાવી હતી. સૂત્રો મુજબ માયાવતીએ હાર માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવી હતી. ત્યારબાદ મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે ટ્વીટ કરીને બસપા પ્રમુખ પર નિશાન સાધ્યુ છે.

આ પણ વાંચોઃ ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા, કહ્યુઃ નિક બને અમેરિકી રાષ્ટ્રપતિઆ પણ વાંચોઃ ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા, કહ્યુઃ નિક બને અમેરિકી રાષ્ટ્રપતિ

અપર્ણા યાદવે કર્યુ ટ્વીટ

અપર્ણા યાદવે કર્યુ ટ્વીટ

અપર્ણા યાદવે કહ્યુ કે બસપા પ્રમુખ માયાવતીનું વલણ જાણીને બહુ દુઃખ થયુ. અપર્ણાએ ટ્વીટ કર્યુ, ‘બહુ દુઃખ થયુ જાણીને આજે માયાવતીનું વલણ સમાજવાદી પાર્ટી માટે, શાસ્ત્રમાં કહેવાયુ છે જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નહિ પચાવી શકે.'

હાર બાદ દેખાઈ સપા-બસપામાં કડવાશ

સૂત્રો મુજબ માયાવતીએ સોમવારે ચૂંટણીમાં હાર માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવી હતી. સૂત્રો મુજબ બેઠકમાં માયાવતીએ કહ્યુ કે આ ગઠબંધનથી યુપીમાં કોઈ ફાયદો ન થયો. ના તો યાદવોના મત બસપાને ટ્રાન્સફર થયા કે ના જાટોને મળ્યા. એવામાં બસપા યુપીમાં 11 વિધાનસભા સીટો પર યોજાનાર પેટાચૂંટણીમાં એકલા લડશે. સપા-બસપા-રાલોદ ગઠબંધન વિશે જો કે હજુ સુધી કઈ અધિકૃત એલાન કરવામાં આવ્યુ નથી.

લોકસભા ચૂંટણીમાં બસપાને 10 અને સપાને 5 સીટો પર મળી હતી જીત

લોકસભા ચૂંટણીમાં બસપાને 10 અને સપાને 5 સીટો પર મળી હતી જીત

માયાવતીએ બેઠક દરમિયાન એ પણ કહ્યુ કે શિવપાલ યાદવે યાદવ મતોને ભાજપના ખાતામાં શિફ્ટ કરાવી દીધા. તેમણે કહ્યુ કે યુપીમાં જે 10 સીટો બસપાને મળી છે તેમાં મુસલમાન મતોની મોટી ભૂમિકા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં સપા, બસપા અને રાલોદના ગઠબંધનને માત્ર 15 સીટો મળી હતી. બસપા 10 સીટો પર જ જીતી શકી જ્યારે સપાને માત્ર 5 સીટો મળી અને રાલોદના કોઈ ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવી શક્ય નહિ. યુપીમાં ભાજપને 62 સીટો પર જીત મળી હતી.

English summary
Mulayamsingh's daughter in law aparna yadav attacks mayawati for her comment on sp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X