કાત્જૂએ જૈબુન્નિસા માટે પણ કરી માફી અપીલ
માર્કન્ડેય કાત્જૂએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે જૈબુન્નિસા કાઝી પણ માફીની હકદાર છે. હું પહેલાં તેના કેસની સુનાવણી કરી ચુક્યો છું તથા તેના કેસ પર કોર્ટના ચુકાદાને જોતાં મારો સ્પષ્ટ વિચાર છે કે તે પણ માફીની હકદાર છે. માર્કન્ડેય કાત્જૂએ આગળ લખ્યું છે કે મેં જૈબુન્નિસા તથા સંજય દત્તની માફી માટે રાષ્ટ્રપતિ સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલને અપીલ કરવાનો નિર્ણય લીધો હતો.
બે દિવસ પહેલાં માર્કન્ડેય કાત્જૂએ કહ્યું હતું કે જૈબુન્નિસાની પુત્રી શગુફ્તાનો મેઇલ મળ્યો હતો, જેમાં તેને પોતાની માતા માટે માફીની અપીલ કરવા માટે કહ્યું હતું. મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં જૈબુન્નિસા પણ અભિનેતા સંજય દત્તની માફક ગેર કાયદેસર રીતે હથિયાર રાખવાના ગુના દોષી ગણવામાં આવી છે અને તેને પણ પાંચ વર્ષની સજા થઇ છે. સંજય દત્ત માટે માફીની અપીલને લઇને ટીકા કરવા પર માર્કન્ડેય કાત્જૂએ કહ્યું હતું કે કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રમાણે તો બીજા લોકો પણ માફીની માંગણી કરવા લાગશે. તેના પર મારો જવાબ છે કે મારી સમક્ષ જે પણ કેસ આવશે, હું તેના પર વિચાર કરીશ.