નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને મુંબઇ કોર્ટ તેડું!

Google Oneindia Gujarati News

મુંબઇ, 10 મે: એક વિશેષ સીબીઆઇ કોર્ટે તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ અને અન્ય આરોપીયોને શુક્રવારે સમન્સ પાઠવ્યું છે.

સુનાવણીના પહેલા દિવસે ખાસ ન્યાયાધીશ જે.ટી. ઉત્પલે આરોપીઓને સમન્સ જારી કર્યું અને 23 મેના રોજ તેમને રજૂ થવા માટે જણાવ્યું છે. આ મામલો ગુજરાતથી મુંબઇની કોર્ટમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો.

સીબીઆઇએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શાહ અને ઘણા પોલીસ અધિકારી સહિત 18 અન્ય લોકોના આરોપપત્ર દાખલ કર્યા હતા.

newslink
સીબીઆઇ અનુસાર ગુજરાતના એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડે નવેમ્બર, 2005માં સોહરાબુદ્દીન અને તેની પત્ની ને હૈદરાબાદથી ઉઠાવ્યા હતા અને ગાંધીનગરની પાસે એક નકલી એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

તપાસ એજેન્સી અનુસાર આ એન્કાઉન્ટરના પ્રત્યક્ષદર્શી સાક્ષી તુલસી પ્રજાપતિને ત્યારબાદ ડિસેમ્બર, 2006માં ગુજરાતમાં બનાસકાઠા જિલ્લાના ચાપરી ગામમાં પોલીસે ઠાર માર્યો હતો.

English summary
A special CBI court Friday issued summons to Amit Shah in Tulshi Prajapati encounter case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X