કોરોના તપાસના નામે હેકર્સ લોકોને બનાવી રહ્યા છે નિશાન, ઈમેઈલ ખોલતા ચોરી થઈ જશે ડેટા
મુંબઈ પોલિસ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે. રોજેરોજ તેના મીમ્સ વાયરલ થતા રહે છે.
મુંબઈ પોલિસ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે. રોજેરોજ તેના મીમ્સ વાયરલ થતા રહે છે. હવે મુંબઈ પોલિસે એક ગંભીર ચેતવણી જારી કરી છે. જે હેઠળ લોકોને નકલી ઈમેલથી બચવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ નકલી મેલની એક સેમ્પલ પણ પોસ્ટ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં ભારતીય યુઝર્સ હેકર્સના નિશાના પર છે. ગયા સપ્તાહે આ વિશે કેન્દ્ર સરકારે પણ એલર્ટ જારી કર્યુ હતુ. હેકર્સનો હેતુ યુઝરનો પર્સનલ અને બેંકિંગ ડેટા ચોરી કરવાનો છે.

મુંબઈ પોલિસ કમિશ્નરે આ અંગે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ કે કૃપા કરીને લાલચમાં ન ફસાવ, ફિસિંગ મેલ તમને ફ્રી કોરોના તપાસની ઑફર આપે છે પરંતુ આ મેલ માત્ર લોકોને ફસાવવાનો કીમિયો છે. તેમણે લોકોને કોઈ પણ અજાણ્યા મેલને ન ખોલવાની સલાહ આપી છે. બીજા ટ્વિટમાં તેમણે મરાઠીમાં લખ્યુ કે કોરોના તપાસ માટે હજારો મેલ સર્ક્યુલેટ થઈ રહ્યા છે. આ હેકર્સની ચાલ છે. કૃપા કરીને સમજદાર બને અને સુરક્ષિત રહહો. સાથે જ Free Covid Test નામથી આવેલ કોઈ અજાણ્યા મેલને ખોલવો નહિ.
ભારતની કમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમ (સર્ટ)એ પણ ગયા સપ્તાહે સાઈબર હુમલાનુ એલર્ટ જારી કર્યુ હતુ. સર્ટના જણાવ્યા મુજબ હેકર હાલમાં કોરોના મહામારીની આડમાં લોકોના મેલ અકાઉન્ટને નિશાન નિશાન બનાવી શકે છે. વર્તમાન સમયમાં તેમણે 20 લાખ અકાઉન્ટને નિશાન બનાવવનો પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ કોવિડ અંગેની માહિતી આપવા માટે હેકર્સ તમને લિંક મોકલશે. જેનો વિષય Free COVID-19 Testing જેવો હોઈ શકે છે. આ દરમિયાન જે ઈમેલ એડ્રેસથી આ મેલ આવ્યો તે જોવામાં સરકારી લાગશે જેમ કે - ncov2019gov.in પરંતુ તે નકલી હશે. જો તમે ભૂલથી પણ આ મેલ ખોલશો તો તેનાથી તમારો પર્સનલ ડેટા ચોરી થઈ જશે. આ ઉપરાંત તમારી બેંકિંગ અંગેની માહિતી પણ ચોરી થવાનો ખતરો રહેશે.
Don't 'click' on the 'bait'!
— CP Mumbai Police (@CPMumbaiPolice) June 25, 2020
Phishing emails claiming to provide 'Free Covid-19 Testing' are on the rise.
Do not open any attachments or links on such emails. #ScamAlert pic.twitter.com/1nCjHU6JIa
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
