મોદીની રેલી સફળ બનાવવા મુસ્લિમોએ ચઢાવી ચાદર

પટના, 13 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં નીતિશના ગઢમાં હુંકાર ભરવાના છે. મોદી 27 ઓક્ટોબરે પટનામાં રેલી કરવાના છે. મોદીની આ રેલીને લઇને ભાજપ તૈયારીઓમાં લાગેલું છે. બીજી તરફ મોદીની આ રેલીને સફળ બનાવવા માટે બિહારમાં મુસ્લિમોએ મજારમાં ચાદર ચઢાવી છે.

રેલીની સફળતાની કામના માટે મુસ્લિમોએ ચાદર ચઢાવી છે. બિહાર હાઇ કોર્ટ મજાર પર ચાદરપોશી કરવામાં આવી. ભાજપ અલ્પસંખ્યક મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી અબ્દુલ રહેમાન પણ તેમા સામેલ રહ્યાં. તેમણે કહ્યું કે, મુસ્લિમ ભાઇ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના રૂપમાં જોવા ઇચ્છે છે.

narendra-modiwithmaulana
રહેમાને કહ્યું કે, દેશના મુસ્લિમો વિકાસ, શિક્ષા સમૃદ્ધિ અને શાંતિ ઇચ્છે છે. તેથી મુસ્લિમો ઇચ્છે છે કે, મોદી દેશના વડાપ્રધાન બને. ચાદરપોશીના આ કાર્યક્રમ દરમિયાન ભાજપ અલ્પસંખ્યક મોર્ચાના અધ્યક્ષ સૈયદ ખાલિદ કમાલ સાથે ભાજપના મીડિયા પ્રભારી રાકેશ કુમાર સિંહ, અશોક ભટ્ટ, યુવા મોરચાના ઝારખંડના પ્રભારી સંતોષ રંજન રાય ઉપરાંત અનેક કાર્યકર્તા હાજર રહ્યાં હતા. એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, મોદીની લોકપ્રિયતા માત્ર યુવાઓમાં જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયોમાં પણ વધતી રહી છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X