મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ 20 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશે
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ 20 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશે
નવી દિલ્હીઃ બિહારના બહુચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે 20 જાન્યુઆરીએ ફેસલો સંભળાવવામાં આવશે. દિલ્હીના સાકેત કોર્ટે આજે સંભળાવવામાં આવનાર ફેસલાને ટાળતા તેની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી દીધી છે. મુઝફ્ફરપુરમાં બહુચર્ચિત બાલિકા ગૃહ કાંડ મામલામાં દિલ્હીની સાકેત સ્થિત અતિરિક્ત સત્ર ન્યાયાધીશ સૌરભ કુલશ્રેષ્ઠે ફેસલાની આગલી તારીખ નક્કી કરી દીધી છે. આ મામલે સીબીઆઈ 21 લોકો વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.
બાલિકા ગૃહ મામલે મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર સહિત 20 આરોપીઓ જેલમાં બંધ છે. સીબીઆઈએ આ મામલાની તપાસ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં લગાવવામાં આવેલ આરોપ સાબિત થાય છે તો મામલાના આરોપિતોને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ કે વધુમાં વધુ ઉંમરકેદની સજા થઈ શકે છે.
સીબીઆઈની તપાસ મુજબ મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં બાળકીઓ સાથે ના માત્ર બાલિકા ગૃહમાં કર્મચારી ખોટું કામ કરી રહ્યા હતા, બલકે બિહાર સરકારના સામાજિક કલ્યાણ વિભાગના અધિકારી પણ તેમાં સામેલ હતા.સીબીઆઈની તપાસમાં માલૂમ પડ્યું કે બાળકીઓનું યૌનશોષણ થયું. આ મામલે બાલિકા ગૃહના સંચાલક બ્રિજેશ ઠાકુરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. બાલિકા ગૃહમાં 34 છોકરીઓ હતી, જે 7થી 17 વર્ષની ઉંમરની હતી. આ બાળકીઓ સાથે યૌન શોષણની ઘટના મહિનાઓ સુધી ચાલતી રહી.
જેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએ