મારુ રિમોટ કંટ્રોલ બીજા કોઈની પાસે છે તો પછી...પીએમ મોદી પર કોંગ્રેસ અધ્યક્ષનો પલટવાર
રિમોટ કંટ્રોલવાળી ટિપ્પણી પર પલટવાર કરીને સોમવારે સવાલ કર્યો કે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનુ રિમોટ કંટ્રોલ ક્યાં છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના પર કરાયેલી રિમોટ કંટ્રોલવાળી ટિપ્પણી પર પલટવાર કરીને સોમવારે સવાલ કર્યો કે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનુ રિમોટ કંટ્રોલ ક્યાં છે. ભાજપ સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાચુ બોલવા માટે હેરાન કરવા પરનો આરોપ લગાવીને ખડગેએ કહ્યુ કે તે આવી વસ્તુઓથી ડરતા નથી અને દરેક વસ્તુ માટે તૈયાર છે.
બેલગાવીમાં કોંગ્રેસના પ્રદેશ એકમ દ્વારા આયોજિત એક યુવા સંમેલનમાં યુવા ક્રાંતિ મોરચાને સંબોધિત કરતા ખડગેએ કહ્યુ, 'મોદી બેલગાવી આવ્યા અને કહ્યુ- ખડગે અધ્યક્ષ બની ગયા છે પરંતુ રિમોટ કંટ્રોલ બીજા કોઈની પાસે છે, ઠીક છે, મારુ રિમોટ કંટ્રોલ બીજા કોઈની પાસે છે પરંતુ નડ્ડાનુ રિમોટ કંટ્રોલ ક્યાં છે?' તેમણે કહ્યુ, 'નડ્ડા કોના રિમોટના નિયંત્રણમાં બોલે છે? અમારા(કોંગ્રેસ) માટે તમારા(ભાજપ) વિશે બોલવા માટે તમારી ઘણી નબળાઈઓ છે. તમારામાં સાહસની કમી છે.'
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા, રાજ્ય એકમના વડા ડીકે શિવકુમાર, વિધાયક દળના નેતા અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સહિત ઘણા નેતાઓ અહીં સીપીઈડી મેદાનમાં યોજાયેલી રેલીમાં સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ 27 ફેબ્રુઆરીના રોજ બેલગાવીમાં એક જનસભાને સંબોધન કરતી વખતે દાવો કર્યો હતો કે ખડગે માત્ર નામના કોંગ્રેસ અધ્યક્ષ છે અને તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યુ છે તે જોઈને દરેક વ્યક્તિ જોઈ અને સમજી શકે છે કે રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે.
ખડગેએ કહ્યુ, 'આ લોકશાહી છે. શું એ કહેવુ ખોટુ છે કે આ દેશમાં લોકશાહી યોગ્ય રીતે કામ નથી કરી રહી? એમ કહેવુ કે આ દેશમાં હજુ પણ જાતિવાદ છે? તમે (ભાજપ સરકાર) અમને સાચુ બોલવા દેતા નથી, જ્યારે તમે જૂઠ બોલતા રહો છો. રાહુલ ગાંધી ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરશે પણ નહીં. જે સાચુ બોલે છે એવી વ્યક્તિને હેરાન કરવામાં આવે છે. તેમને તે કરવા દો, શું તેઓ તેમને જેલમાં નાખશે? અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ.'
ખડગેએ કહ્યુ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની દેશવ્યાપી ભારત જોડો યાત્રા દરમિયાન ગાંધી ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગને મળ્યા હતા. તેમણે કહ્યુ, 'રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરમાં લોકોની સમસ્યાઓ વિશે ભાષણ આપ્યાના 46 દિવસ પછી, દિલ્હી પોલીસ એક યુવતીના કથિત યૌન ઉત્પીડન પર... તેમના નિવેદન વિશે પુરાવા માંગવા તેમના દરવાજે આવી.'
ખડગેએ દાવો કર્યો હતો કે કર્ણાટકના કૉન્ટ્રાક્ટરોના યુનિયન પાસેથી 40 ટકા કમિશન લેવામાં આવ્યુ હોવાના પુરાવા આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખડગેએ દાવો કર્યો કે, 'મોદી અને શાહ (અમિત શાહ)એ અહીં કાર્યવાહી કરવી જોઈએ અને તપાસ કરવી જોઈએ કારણ કે અહીં પહેલાથી જ પુરાવા આપવામાં આવી ચૂક્યા છે, પછી રાહુલ ગાંધી પાસે આવો.'
કોંગ્રેસ અધ્યક્ષનુ પદ સંભાળ્યા બાદ ખડગેની બેલાગવીની આ પ્રથમ મુલાકાત હતી. તેમણે કહ્યું કે બેલાગવી કોંગ્રેસ માટે "પવિત્ર ભૂમિ" છે કારણ કે મહાત્મા ગાંધી 1924માં જિલ્લામાં પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને જવાહરલાલ નેહરુને તેના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.
આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની જનતાના આશીર્વાદ માગતા ખડગેએ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને એકતા સાથે ચૂંટણી લડવા કહ્યુ. તેમણે કર્ણાટકમાં ભાજપ સરકાર પર પ્રચંડ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિની યુવાનો માટે બેરોજગારી ભથ્થા સહિતની ચૂંટણીની 'ગેરંટી'ની પ્રશંસા કરી, જેને આજે પાર્ટીને સત્તામાં આવવાના કિસ્સામાં ચોથી 'ગેરંટી' તરીકે જાહેર કરવામાં આવી છે.
પાર્ટીએ પહેલાથી જ ત્રણ ચૂંટણી 'ગેરંટી' જાહેર કરી દીધી છે - તમામ ઘરોને 200 યુનિટ મફત વીજળી, દરેક ઘરની મહિલા વડા (ગૃહ લક્ષ્મી)ને 2,000 રૂપિયા માસિક સહાય અને બીપીએલ(ગરીબી રેખા નીચે)પરિવારના દરેક સભ્યને 10 કિલો મફત ચોખા.












Click it and Unblock the Notifications
