ભાગેડુ માલ્યાને ‘મેક ઈન ઈન્ડિયા' નો બ્રાંડ એબેસેડર બનાવી દે ભાજપઃ શિવસેના
ભાગેડુ વિજય માલ્યાને સ્માર્ટ ગણાવનાર મોદી સરકારના મંત્રી જૂએલ ઓરામના નિવેદન પર શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
ભાગેડુ વિજય માલ્યાને સ્માર્ટ ગણાવનાર મોદી સરકારના મંત્રી જૂએલ ઓરામના નિવેદન પર શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે ભાજપે મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ માટે બ્રાન્ડ એબેસેડર રૂપે દારૂડિયા વેપારી વિજય માલ્યાના નામની ઘોષણા કરી દેવી જોઈએ. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યુ છે કે એક તરફ તો પીએમ મોદી ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે, બીજી તરફ તેમના પક્ષના નેતા હજારો કરોડના મામલે ભાગી ગયેલ વિજય માલ્યાને પોતાનો આદર્શ માને છે.
ભાજપના નેતાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા
શિવસેનાએ કહ્યુ કે પીએમ મોદીએ પોતાના નેતાઓને સાર્વજનિક જગ્યાઓ પર બોલતી વખતે જીભ પર કાબુ રાખવાની સલાહ આપી હતી પરંતુ તેમછતા કેટલાક નેતાઓ હજુ પણ આવી વાતો કરે છે. જે ભાજપના નેતા રાહુલ ગાંધી અને શશિ થરુરના મુસ્લિમો પર આપેલા નિવેદન અંગે બોલે છે તેમને પોતાના બ્રાન્ડ એબેસેડર માલ્યા પર પણ બોલવુ જોઈએ.
માલ્યાએ બનવુ જોઈએ ભાજપના બ્રાન્ડ એબેસેડર
શિવસેનાએ હુમલો કરતા કહ્યુ કે પીએમ મોદી કહે છે કે તે ભ્રષ્ટાચારનું સમર્થન નથી કરતા. બીજી તરફ તેમના પક્ષના નેતા હજારો કરોડના કેસમાં ભાગેડુને પોતાનો આદર્શ માને છે. જો પક્ષની નીતિ આ જ છે તો ‘મેક ઈન ઈન્ડિયા' અને સ્ટાર્ટઅપના બ્રાન્ડ એબેસેડર માલ્યાને બનાવી દેવા જોઈએ. શિવસેનાએ ડીએસકે ગ્રુપ છેતરપિંડી મામલે અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનું ઉદાહરણ આપતા કહ્યુ કે જો કોઈ ભવિષ્યમાં તેમની પ્રશંસા કરવાનું શરૂ કરી દે તો કોઈ આશ્ચર્ય નહિ થાય.
જુએલ ઓરામે વિજય માલ્યાને સ્માર્ટ ગણાવ્યા હતા
તમને જણાવી દઈએ કે શુક્રવારે હૈદરાબાદમાં મોદી સરકારમાં મંત્રી અને ભાજપ નેતા જુએલ ઓરામને વિજય માલ્યાને સ્માર્ટ ગણાવ્યા હતા. ઓરામે આદિવાસીઓને સફળ ઉદ્યમી બનવા માટે વિજય માલ્યાના રસ્તે ચાલવા અને બેંકમાંથી લોન લેવાની પણ સલાહ આપી હતી. જો કે બાદમાં બબાલ થતા ઓરામે પોતાના નિવેદન માટે માફી પણ માંગી હતી.