'શાહનાવઝ અને નકવી સહિત બધા મુસ્લિમ નેતા છોડે ભાજપ'

અત્રે જારી એક નિવેદનમાં ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રવક્તા ધીરેન્દ્ર પ્રતાપે હુસૈન દ્વારા આપવામાં આવેલ રાજીનામાનું સ્વાગત કર્યું, તેમણે જણાવ્યું કે આનાથી સાબિત થાય છે કે બીજેપીના લોકો જ ગુજરાતમાં થયેલા રમખાણો માટે મુખમંત્રી નરેન્દ્ર મોદીને જ જવાબદાર ગણે છે.
તેમણે જણાવ્યું આવી સ્થિતિમાં ભાજપામાં રહેલા તમામ મુસ્લિમ અને રાષ્ટ્રવાદી નેતાઓને એ વિચારવું જોઇએ કે મોદી જેવા કોમ્યુનલ અને વિધ્વંસના પ્રતિક નેતાઓને બળ આપવું દેશની એકતા અને અંખડતા માટે ખતરારૂપ બની શકે છે.
તેમણે જણાવ્યું કે હુસૈનના બહાદુરીભર્યા નિવેદનથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે ભાજપાનો રાષ્ટ્રવાદી ચહેરો તેના લઘુમતિ વિરોધી ચાલ અને લોકોને કોમ્યુનલના નામે દગો આપનાર ચરિત્ર વધારે ચાલવાનું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ત્રીજીવાર મુખ્યમંત્રી તરીકે ચૂંટણી આવવું, ભાજપીની ચૂંટણીના પ્રભારી બનાવાને લઇને તેમજ નરેન્દ્ર મોદીની વધી રહેલી લોકપ્રિયતાને પગલે કોંગ્રેસમાં એક રાજકીય ભય ઉભો થયો છે. જેના પગલે કોંગી નેતાઓ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાની કોઇપણ તક ચૂકતા નથી.












Click it and Unblock the Notifications
