દેશમાં મોદીનું કદ ભાજપ કરતા મોટુઃ અરૂણ જેટલી
નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ રાજ્યસભામાં વિપક્ષ નેતા અરૂણ જેટલીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની સ્વીકાર્યતા, પાર્ટીની સ્વીકાર્યતા કરતા વધારે છે, જે દર્શાવે છે કે, દેશના લોકોને એક મજબૂત નેતૃત્વની શોધ છે. જે ભાજપ પાસે છે. હાલના દિવસોમાં ચેનલ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યાં છે, જે અનુસાર ભાજપને અત્યારસુધી મળેલી સર્વાધિક બેઠકોનો રેકોર્ડ તૂટી શકે છે. પહેલા લોકસભા ચૂંટણીમાં ભાજપને મળનારી બેઠકોની સંખ્યા 183 રહી છે. અરૂણ જેટલી અનુસાર તેઓ જાતે પણ આ સર્વેનો સંપૂર્ણપણે માની શકતા નથી, પરંતુ તેમને વિશ્વાસ છે કે, ભાજપ અને અન્ય સહયોગી અકાલી દળ અને શિવસેના સારું પ્રદર્શન કરશે.

હાલના સમયે મોદીની લોકપ્રીયતા દેશમાં પાર્ટી કરતા 15થી 20 ટકા વધારે છે, અતઃ આ અમારા માટે લાભની સ્થિતિ છે. આ સમયે કોઇપણ પક્ષ એવો નથી જણાઇ રહ્યો, જે એનડીએની સરખામણીએ આવે. અન્ય ક્ષેત્રીય દળો મળીને પણ દેશને સ્થાયી નેતૃત્વ પ્રદાન નહીં કરી શકે. ચૂંટણી બાદ કોંગ્રેસ વિરોધી ક્ષેત્રીય દળો પણ અમારી સાથે આવી શકે છે. જો એવું થશે તો આ ભારતના સંઘીય ઢાંચાનું યોગ્ય રૂપ હશે.
આ વખતે ચૂંટણીમાં અર્થવ્યવસ્થા. મજબૂત નેતૃત્વ અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા હશે. દેશની જનતાનો ઝુકાવ ભાજપ તરફી છે, જે પાર્ટી માટે સત્તામાં આવવાના સંકેત છે અને ભાજપ દેશને મજબૂત નેતૃત્વ આપી શકે છે.












Click it and Unblock the Notifications
