વારાણસી, 7 મે: વારાણસીની ચૂંટણી ભૂમિમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરૂવારે હુંકાર ભરી હતી. તેમણે વારાણસીના રોહનિયામાં જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે આ ચૂંટણીમાં જનતાનું તપ બેકાર નહી જવા દઉ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે હું જનતા અને અહીંની જનતા મારી સાથે જોડાઇ ચૂકી છે. તેમણે કહ્યું હતું કે હવે મારું દિલ કાશી સાથે જોડાઇ ગયું છે. તેમણે કહ્યું હતું કે હું સાબરમતીને બદલી છે અને હવે વારાણસીની ગંગાને બદલીશું.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે બનારસને ફરી એકવાર વિશ્વ ગુરૂ બનાવવા માંગે છે. તે બનારસને શિક્ષાનું કેન્દ્ર બનાવવા માંગે છે. તેમનો હેતું પશ્વિમ ભારતની માફક ભારતના પૂર્વી ભાગને પણ વિકસિત કરવાનો છે. તે તમારી પાસે સેવક તરીકે આવ્યો છું, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને મળી શકો છો, વાત કરી શકો છો.
નરેન્દ્ર મોદીએ રેલીની શરૂઆત માતાના જયકાર સાથે કરી અને કહ્યું કે દેશની સુરક્ષામાં કોઇ કસર છોડીશ નહી. તેમણે કહ્યું કે હું ફક્ત વિકાસના એજન્ડાને લઇને અહીં આવ્યો છું. તેમણે કહ્યું કે વિકાસ સિવાય મારો કોઇ એજન્ડા નથી. તેમણે જનતાને કહ્યું કે તમારી પરિસ્થિતીઓને બદલવા માંગું છું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનીઓએ જે સપનું જોયું હતું તેને પુરૂ કરવામાં કોઇ કસર છોડીશ નહી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માલવીયજીના કામોને આગળ વધારવા માંગે છે. તે બનારસને દુનિયાનું પર્યટન કેન્દ્ર બનાવવા માંગે છે તેના માટે તેમને વારાણસીની જનતાના આર્શીવાદની જરૂર છે. તેમણે કહ્યું હતુંક એ તે વારાણસીને પોતાના વણકર ભાઇઓના કૌશલ્યનો ડંકો વિશ્વમાં વગાડી દેશે. તે પોતાના અનુભવના આધારે આ દાવો કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે વારાણસીના વણકરોને એક તક મળવી જોઇએ. તે અહીંના વણકરોને એક વર્ષની અંદર આધુનિક બનાવી દેશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુવાનોને રોજગારી મળી નથી, સરકારે પોતાનો વાયદો તોડ્યો છે. જે સરકારે વાયદો તોડ્યો છે તેની સાથે સંબંધ તોડવો જોઇએ. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જવાનોની વિધવાઓનીને લૂંટી લીધી. તેની નીતિઓના લીધે હજારો ખેડૂતો આત્મહત્યા કરી લીધી. દિલ્હીમાં મા-બેટાની સરકરનો એક જ નારો છે- મર જવાન, મર કિસાન.
સ્વતંત્રતા સેનાનીઓના સપનાં પુરા કરીશ
નરેન્દ્ર મોદીએ રોહનિયામાં કહ્યું હતું કે દેશની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનીઓએ જે સપના જોયા હતા તેને પુરા કરવા માટે કોઇ કસર છોડીશું નહી.
તમે ઇચ્છો ત્યારે મળી શકો છો
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મોદી હવે તમારી સાથે જોડાઇ ગયા છે, તમારા પ્રેમના બંધનમાં બંધાઇ ગયા છે. તે તમારી પાસે સેવકના રૂપમાં આવ્યા છે, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમને મળી શકો છો. વાત કરી શકો છો.
વિકાસ સિવાય મારો બીજો એજન્ડા નથી
નરેન્દ્ર મોદી કે વિકાસ સિવાય મારો કોઇ એજન્ડા નથી. અહીં તમારી સમસ્યાઓના ઉકેલ માટે આવ્યા છીએ, તમારી સેવા માટે આવ્યા છીએ. તેમનો હેતું પશ્વિમ ભારતની જેમ ભારતના પૂર્વ ભાગને વિકસિત કરવાનો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે બનારસને ફરી એકવાર વિશ્વ ગુરૂ બનાવવા ઇચ્છે છે. તે બનારસને શિક્ષાનું કેન્દ્ર બનાવવા માંગે છે.
બનારસને ફરી એકવાર વિશ્વ ગુરૂ બનાવવા માગું છું
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે બનારસને ફરી એકવાર વિશ્વ ગુરૂ બનાવવા માંગે છે. તે બનારસને શિક્ષાનું કેન્દ્ર બનાવવા માંગે છે. હું તમારી પાસે સેવક તરીકે આવ્યો છું, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને મળી શકો છો, વાત કરી શકો છો.
વણકર ભાઇઓનો ડંકો વિશ્વમાં વાગશે
તેમણે કહ્યું હતું કે તે વારાણસીના પોતાના વણકર ભાઇઓના કૌશલ્યનો ડંકો વિશ્વમાં વગાડી દેશે. તે પોતાના અનુભવના આધારે આ દાવો કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે વારાણસીના વણકરોને એક તક મળવી જોઇએ. તે અહીંના વણકરોને એક વર્ષની અંદર આધુનિક બનાવી દેશે.
બનારસને દુનિયાનું પર્યટન કેન્દ્ર બનાવવા માંગુ છું
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માલવીયજીના કામોને આગળ વધારવા માંગે છે. તે બનારસને દુનિયાનું પર્યટન કેન્દ્ર બનાવવા માંગે છે તેના માટે તેમને વારાણસીની જનતાના આર્શીવાદની જરૂર છે.
જે સરકારે વાયદો તોડ્યો છે તેની સાથે સંબંધ તોડી દો
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુવાનોને રોજગારી મળી નથી, સરકારે પોતાનો વાયદો તોડ્યો છે. જે સરકારે વાયદો તોડ્યો છે તેની સાથે સંબંધ તોડવો જોઇએ. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જવાનોની વિધવાઓનીને લૂંટી લીધી. તેની નીતિઓના લીધે હજારો ખેડૂતો આત્મહત્યા કરી લીધી. દિલ્હીમાં મા-બેટાની સરકરનો એક જ નારો છે- મર જવાન, મર કિસાન.