જાણો આ વખતે "મન કી બાત" માં શુ કહ્યું નરેન્દ્ર મોદીએ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવિવારે સવારે 11 વાગ્યે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત શરૂઆત કરી. આ વખતે નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ખેલ અને છોકરીઓને ધ્યાનમાં રાખી છે.

નરેન્દ્ર મોદીએ મન કી બાતની શરૂઆત હોકીથી કરી. નરેન્દ્ર મોદીએ હોકીના જાદુગર ધ્યાનચંદને યાદ કર્યા અને કહ્યું કે કાલે તેમની જન્મતિથિ છે. તો જાણો આગળ શુ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ..
- કાલે હોકીના જાદુગર ધ્યાનચંદની જન્મતિથિ છે. આ દિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે.
- ઓલિમ્પિકમાં આપણે જે પદક મળ્યા છે. તે ભારતની દીકરીઓએ અપાવ્યા છે. આપણે દીકરીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ કોઈના પણ પણ ઓછા નથી.
- જયારે મન કી બાતનો સમય આવે છે ત્યારે MyGov કે NarendraModiApp પર અનેક અભિપ્રાય પણ આવે છે.
- 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. હું ઘણા વર્ષોથી શિક્ષક દિવસ પર બાળકો સાથે સમય પસાર કરું છું.
- જીવનમાં જેટલું માંનું સ્થાન હોઈ છે એટલું જ સ્થાન શિક્ષકનું પણ હોઈ છે.
- ભારત સરકારે 5 રાજ્યોના સહયોગથી સ્વચ્ચ ગંગાની સફાઈ સાથે લોકોને જોડવાનો પ્રયાસ કર્યો છે.
- મને ઘણા લોકોએ ગણેશ મહોત્સવ અને દુર્ગા પૂજાને લઈને પર્યાવરણ વિશે ચિંતા દર્શાવી છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસના બદલે ઈકો ફ્રેંડલી ગણેશનો ઉપયોગ કરવો.
- કાશ્મીરમાં કોઈ પણ જીવ જાય છે તો તેનાથી દેશનું જ નુકશાન થાય છે.












Click it and Unblock the Notifications
