મોદીએ આઝમગઝમાં ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો
આઝમગઢ, 8 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી આજે આઝમગઢમાં ભારજ વિજય રેલીને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આ રેલીમાં જણાવ્યું કે આ વખતની ચૂંટણી એક દમ અલગ છે. આ વખતની ચૂંટણી લોકો લડી રહ્યા છે.
આટલી ગરમીમાં પણ તમે આટલી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છો તેના માટે હું આપ સૌનો આભાર માનું છું. પહેલા લોકો નિરાશા, મજબૂરી, મુશ્કેલીઓમાં જ દબાયેલા રહેતા હતા. આ પહેલી વખત એવી ચૂંટણી છે જેમાં લોકોને એક નવી આશા છે. શું આપને એવું લાગે છે કે સારા દિવસો આવવાના છે. આપનો એક વોટ 60 વર્ષની ભ્રષ્ટ રાજનીતિમાંથી બહાર કાઢી શકે છે.
આપ મને જણાવો કે લખનઉમાં પહેલા બહેનજીની સરકાર હતી, પછી બાપ-બેટાની સરકાર આવી, સાથે ભાઇ-ભત્રીજાનો વ્યવસાય આવ્યો. કેન્દ્રમાં મા-બેટાની સરકાર આવી. આપ મને જણાવો કે આ દસ વર્ષમાં આપનું કોઇ ભલું થયું છે? ખેડૂતો કે ગામડાઓનું ભલું થયું છે? આ લોકોને આપણે દેશનું ભલું કરવા માટે સત્તામાં લાવીએ છીએ, પરંતુ આ લોકો તો ભાઇ-ભત્રીજા, ચાચા-બહુ અને દોસ્તારોના જ ભલાઇમાં લાગ્યા છે, તેમને દેશની ચિંતા નથી.
છેલ્લા ત્રણ તબક્કાથી ચૂંટણીમાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ ઘટી રહી છે. હું ચૂંટણી કમીશનને ફરી જણાવવા માંગુ છું કે તેઓ પોતાની નિષ્પક્ષ જવાબદારીઓ નથી નીભાવી રહી. હું ખૂબ જ જવાબદારીપૂર્વ ભારતના ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યો છું. અહીં નેતાજી પોતે પોતાનું ભવિષ્ય બચાવવા આવ્યા હતા. અહીં નેતાજીની કારકિર્દી બચવાની નથી.
મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું વાંચો અને સાંભળો...

આ લોકો વંશવાદની રાજનીતિ કરી રહ્યા છે
આપ મને જણાવો કે લખનઉમાં પહેલા બહેનજીની સરકાર હતી, પછી બાપ-બેટાની સરકાર આવી, સાથે ભાઇ-ભત્રીજાનો વ્યવસાય આવ્યો. કેન્દ્રમાં મા-બેટાની સરકાર આવી. આપ મને જણાવો કે આ દસ વર્ષમાં આપનું કોઇ ભલું થયું છે? ખેડૂતો કે ગામડાઓનું ભલું થયું છે? આ લોકોને આપણે દેશનું ભલું કરવા માટે સત્તામાં લાવીએ છીએ, પરંતુ આ લોકો તો ભાઇ-ભત્રીજા, ચાચા-બહુ અને દોસ્તારોના જ ભલાઇમાં લાગ્યા છે, તેમને દેશની ચિંતા નથી.

ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ
છેલ્લા ત્રણ તબક્કાથી ચૂંટણીમાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ ઘટી રહી છે. હું ચૂંટણી કમીશનને ફરી જણાવવા માંગુ છું કે તેઓ પોતાની નિષ્પક્ષ જવાબદારીઓ નથી નીભાવી રહી. હું ખૂબ જ જવાબદારીપૂર્વ ભારતના ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યો છું. અહીં નેતાજી પોતે પોતાનું ભવિષ્ય બચાવવા આવ્યા હતા. અહીં નેતાજીની કારકિર્દી બચવાની નથી.

દેશનું ભલું કરવું હોય તો ખેડૂતનું ભલું કરવું પડશે
ચૂંટણી ઢંઢેરામાં ભાજપે જણાવ્યું છે કે ખેડૂતો માટે જે સમર્થનની નીતિ છે તે એક રાજ્યમાં અલગ અને બીજા રાજ્યમાં અલગ હોય છે. ખેડૂતને કોઇ યોગ્ય ખરીદદાર નથી મળતો. અને ભાવ ના મળતા ખેડૂતને નુકસાન જાય છે અને તેને આત્મહત્યા કરવાનો વારો આવે છે. અમે ચૂંટણી ઢંઢેરામાં એક ખાસ વ્યવસ્થા તૈયાર કરી છે જેના આધારે મીનીમમ સપોર્ટ પ્રાઇઝ નક્કી કરાશે, અને ખેડૂતના તમામ ખર્ચાને મળાવીને જે ખર્ચ થશે તેની પર 50 ટકા નફો લગાવવામાં આવશે. આવી રીતે ખેડૂતે આત્મહત્યા કરવાનો વારો નહીં આવે. દેશનું ભલું કરવું હોય તો ખેડૂતનું ભલું કરવું પડશે.

રોકો રોકો ભાઇ મોદી રોકો...
આપ મને જણાવો કે આ કોંગ્રેસ, સપા, અને બસપા અલગ અલગ છે શું? આ લોકો લખનઉમાં કુસ્તી કરે છે અને દિલ્હીમાં જઇને દોસ્તી કરે છે. લખનઉમાં તું-તું મેમે કરે છે અને દિલ્હીમાં જઇને એક જ થાળીમાં જમે છે, અને દિલ્હીવાળી મેડમ તેમને પીરસે છે. ત્રણે પાર્ટીઓ ખેડૂતો, ભ્રષ્ટાચાર, વિકાસ પર વાત નથી કરતા તેઓ એક જ વાત કરે છે કે રોકો રોકો ભાઇ મોદી રોકો... કારણ કે તેમને ખ્યાલ છે કે 16 તારીખે જો મોદી આવી ગયો કે તો તેમની જગ્યા ક્યાં હશે.

હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ
આપ મને એમ કહો દિલ્હીમાં કેવી સરકાર જોઇએ? ઢીલીઢાલી સરકાર ચાલશે?, રિમોટવાળી સરકાર ચાલશે? માબેટાના ઓક્સિઝનવાળી સરકાર ચાલશે? નહીં ચાલે. નાનું બાળક પણ નબળા ટિચરને સાખી લેતો નથી. જો દિલ્હીમાં મજબૂત સરકાર બનાવવી હોય તો ઉત્તર પ્રદેશમાંથી તમારે બધા કમળ દિલ્હીમાં મોકલવા પડશે. તમે મને મજબૂત સરકાર આપો, હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ.

ભારે મતદાન કરી નેતાઓના 12 વગાડી દેજો
નરેન્દ્ર મોદીએ લોકોને ભારે મતદાન કરવાનું આહ્વાન કર્યું હતું. પહેલા મતદાન પછી જલપાનનું સૂત્ર મોદીએ લોકોને આપ્યું. મોદીએ લોકોને જણાવ્યું કે 12 તારીખના રોજ ભારે મતદાન કરી આપ સપા, બસપા, અને કોંગ્રેના નેતાઓના 12 વગાડી દેજો.
મોદીને સાંભળો વીડિયોમાં...
મોદીને સાંભળો વીડિયોમાં...
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
