આયોગે એક બાળકને પોતાના માતાથી દૂર રાખવા પ્રયાસ કર્યોઃ મોદી
વારાણસી, 18 મેઃ ભારે જનાદેશ મેળવ્યા બાદ પહેલીવાર વારાણસી પહોચેલા નરેન્દ્ર મોદીએ શનિવારે બાબા વિશ્વનાથની પૂજા કરી અને મા ગંગાની આરતી કરી. માત્ર અમુક દિવસોના અંતરમાં જ મોદીએ પૂજા કરવાનો અધિકાર વારાણસી નગરીમાં મેળવી લીધો. પૂજા કરવા માટે આયોગે તેમના પર કેટલાક દિવસો પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો.

નોંધનીય છેકે, ચૂંટણી દરમિયાન વારાણસીના સંવેદનશીલ બેનિયાબાગ વિસ્તારમાં મોદીની સભાને આયોગે અનુમતિ આપી નહોતી. દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેવા આવેલા મોદીએ કહ્યું કે, ચૂંટાયા બાદ તે વારાણસીના દિકરા થઇ ગયા છે અને આ દિકરાનું સૌથી પહેલું કામ વારાણસીના વિકાસનું હશે. તેમની ગંગા મા મેલી ના રહે.
મોદીએ કાશીની જનતાને ધન્યવાદ આપતા કહ્યું કે, જે વિશ્વાસ તમે લોકોએ મારા પર કર્યો છે, તેને હું તૂટવા નહીં દઉ. નરેન્દ્ર મોદીએ ગંગા આરતીમાં સામેલ થયા બાદ કહ્યું કે, કાશીને આધ્યાત્મિક ઓળખ અપાવ્યા વગર ભારત જગતગુરુ નહીં બની શકે. મોદીએ કાશી કાશીવાસીઓને કાશીને વિશ્વસ્તરીય બનાવવાની મદદ કરવા અપીલ પણ કરી. મોદીએ કહ્યુ કે ગંગા માની સેવા કરવાનું સૌભાગ્ય કોઇને મળી શકે નહીં. લાગે છે મારી નિયતિમાં માની સેવા કરવાનું લખ્યું છે.
વારાણસી સંસદીય બેઠકમાં ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર શહેર પહોંચેલા મોદીએ કહ્યું કે, કાશીની સેવા કરવી અને સ્વચ્છ રાખવા તમારી બધાની જવાબદારી છે. કાશીના વણકરો, હેંડીક્રાફ્ટ ઉદ્યોગ અને સાડી ઉદ્યોગને આખા વિશ્વમાં એક ઓળખ આપવાની છે અને એ સહયોગ વગર થઇ શકશે નહીં.
મોદીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છેકે કોઇ ગૈર કોંગ્રેસી સરકારના પૂર્ણ બહુમતિ મળી છે. તમે બધાએ જે પ્રેમ અને સન્માન આપ્યો છે, તેને પરત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
