જ્યોતિષ બેજાન દારૂવાલાનો દાવો: જોયો હતો પ્રધાનમંત્રી મોદીનો હાથ
હાલમાં જ બિહાર ચૂંટણીના મુદ્દે તાંત્રિક પાસે જવાની વાતને મુદ્દો બનાવીને ભાજપના નેતાઓએ જનતાની વચ્ચે ઘણો હંગામો મચાવ્યો હતો. પરંતુ હવે વિપક્ષને પણ ભાજપના નેતાઓની બેન્ડ વગાડવાનો મુદ્દો મળી ગયો છે. કારણે જ્યોતિષ અને ભવિષ્યવાણી કરનાર બેજાન દારૂવાલાએ દાવો કર્યો છેકે તેમણે પીએમ મોદીનો હાથ જોયો હતો.
મધ્યપ્રદેશના ઇંદોર શહેરમાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા બેજાન દારૂવાલાએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી તાકાતવાર માણસ છે, પરંતુ તેમનો પક્ષ નબળો છે. જેનાથી આગામી સમયમાં મોદીને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. મેં તેમનો હાથ જોયો હતો અને એટલે હું તેવો દાવો કરી શકુ છું.
તેમણે કહ્યું હતુ કે મોદીનો વિકાસનો મુદ્દો સુપરડુપર હીટ રહેશે. અને તે આઇડિયા તેમને નવી ઉંચાઇઓ પર લઇ જશે. પરંતુ ABP ન્યૂઝના જણાવ્યા મુજબ બેજાન દારૂવાલાએ ખુદ એક ઇવેન્ટ દરમ્યાન મોદીનું ભવિષ્ય જાણવા માટે તેમનો હાથ ખેંચ્યો હતો. આ વાત વર્ષ 2012ની હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.