નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની ફ્રેન્ચાઈઝી વેચી રહ્યા છે, બીજેપી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો-રાહુલ ગાંધી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ભ્રષ્ટાચારમા લિપ્તતા સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ હમલાવર છે. હવે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે.

સાંસદ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને બીજેપી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી ભ્રષ્ટાચારની ફ્રેન્ચાઈઝી પૂર્વના આસામથી પશ્ચિમ ભારતના મહારાષ્ટ્રમાં વહેંચી રહ્યા છે અને ભાજપ ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગયુ છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યુ કે, ભાજપ કાર્યાલયમાં મોટી લાલ જાજમ બિછાવીને જે વ્યક્તિને મોટો ભ્રષ્ટાચારી કહ્યો તેનું સ્વાગત કરાર્યું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આવકવેરા વિભાગ (IT) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી સંસ્થાઓને રિકવરી એજન્ટ બનાવીને ચંદાનો ધંધો કરનાર ભાજપ હવે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગયો છે. મોદી સરકારનો અર્થ માત્ર ભ્રષ્ટાચારીઓને સુરક્ષાની ગેરંટી છે.

આ પહેલા રવિવારે રાહુલ ગાંધીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સની રેલીમાં આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી આ લોકસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ જીતી શકે. જીતીને બંધારણ નાબૂદ કરી શકે છે.

જો કે રાહુલ ગાંધીના આ નિવેદન અને અન્ય કેટલીક ટિપ્પણીઓ સાથે ભાજપ તરફથી ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X