For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું મીઠું ખાઇને જ ગુજરાતનું લોહી વહાવ્યું મોદીએ: શકીલ

|
Google Oneindia Gujarati News

Shakeel ahmed
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી : દિલ્હીમાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તમારામાંથી એવું કોઇ નહીં હોય જેણે ગુજરાતનું મીઠું નહીં ખાધું હોય. મોદીનું આ વાક્ય કોંગ્રેસને વેધી ગયું છે. કોંગ્રેસી નેતા શકીલ અહેમદે મોદીના આ નિવેદન પર ટ્વિટર પર ટ્વિટ કરીને તીખી ટીપ્પણી કરી છે.

શકીલ અહેમદે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'ગુજરાતનું મીઠું બધાએ ખાધું છે પરંતુ મીઠું ખાઇને મોદીએ ગુજરાતનું જ ખુન વહેવડાવ્યું છે.' જોકે શકીલનો સીધો ઇશારો ગોધરા કાંડ તરફ છે.

શકીલ અહેમદે આ પહેલા આડવાણી પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે આડવાણી પર એવો આરોપ લગાવ્યો હતો કે તેઓ પાકિસ્તાનથી ભારત આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, અડવાણી સત્તા માટે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. આ નિવેદન તેમણે એ સમયે કર્યું હતું જ્યારે તેઓ સીકરમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે જો તેઓ હિન્દુઓને હિન્દુઓની ચિંતા હોત તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સેવા કરતા.

English summary
now Shakeel Ahmed targets to Modi said he made Gujarat bleed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X