ગૃહ મંત્રાલય પોતાની પાસે જ રાખશે મોદી, અડવાણીને પદ નહીં!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે: નરેન્દ્ર મોદીની કેબિનેટને અંતિમ રૂપ આપવા માટે ભાજપના નેતાઓની આરએસએસ અને પોતાના સહયોગી દળોની સાથે બેઠકોનો સિલસિલો સતત ચાલુ છે. મહત્વપૂર્ણ વિભાગો પર નજર લગાવીને બેઠેલા તમામ નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી રહ્યા છે.

સોમવારે અરૂણ જેટલી, સુષમા સ્વરાજ અને અમિત શાહે મોદી અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. યોગી આદિત્યનાથ, વરુણ ગાંધી, અરૂણ શૌરી અને ગોપીનાથ મુંડે પણ રાજનાથ સિંહને મળવા પહોંચ્યા. સૂત્રો અનુસાર રાજનાથ સિંહ તુરંત કેબિનેટમાં સામેલ થવાને સ્થાને હમણા થોડા સમય માટે અધ્યક્ષ પદ પર બની રહેશે. આરએસએસનો એક વર્ગ હજી પાર્ટી અધ્યક્ષના પદ પર કોઇ પરિવર્તન કરવા નથી માંગતો.

modi
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રાલય જેવા મહત્વપૂર્ણ વિભાગો નરેન્દ્ર મોદી પોતાની પાસે જ રાખવા માગે છે. મોદી નાણામંત્રીના પદ પર અરુણ શૌરીને બેસાડવા માગે છે, જ્યારે રક્ષા મંત્રીનું પદ મુરલી મનોહર જોશીને આપી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે મોદી પીએમની શપથ લેશે તો તેમની સાથે તેમના ચાર શ્રેષ્ઠ મંત્રીઓ પણ શપથ લેશે જ્યારે બાકીના કેબિનેટ અને મંત્રી પરિષદનું ગઠન બાદમાં કરવામાં આવશે.

સુષમા સ્વરાજને માનવ સંસાધન વિકાસ મંત્રાલય આપવામાં આવી શકે છે અને તે ચાર મંત્રિયોમાં સામેલ રહેશે. અરૂણ જેટલીને વિદેશ મંત્રાલય આપવામાં આવી શકે છે. લોકસભા સ્પીકરનું પદ કરિયા મુંડાને સોંપાઇ શકે છે જ્યારે લાલકૃષ્ણ અડવાણીને ભાજપના માર્ગદર્શકની ભૂમિકા સોંપાઇ શકે છે.

English summary
Narendra Modi may keep home ministry sources says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X