હવે તમારી પ્રોપર્ટીને પણ આધાર સાથે કરવી પડશે લીંક, સરકાર લાવી રહી છે નિયમ
કેન્દ્રની મોદી સરકાર સંપત્તિની માલિકી અંગે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે અંતર્ગત નિયત સંપત્તિના માલિકી માટે તેને આધાર સાથે જોડવું જરૂરી રહેશે.
કેન્દ્રની મોદી સરકાર સંપત્તિની માલિકી અંગે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે અંતર્ગત નિયત સંપત્તિના માલિકી માટે તેને આધાર સાથે જોડવું જરૂરી રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદાથી બેનામી સંપત્તિ સાથે વ્યવહાર કરવામાં, જમીનની ખરીદીમાં છેતરપિંડી અટકાવવામાં અને ભ્રષ્ટાચારને રોકવામાં ફાયદો થશે.

એક અહેવાલ મુજબ, તેનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે અને 5 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે, જે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન બાબતો રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ છે, તેથી કેન્દ્ર મોડલ કાયદો બનાવશે અને રાજ્યોને આપશે. જે બાદ રાજ્યો તેનો અમલ કરશે. એવું માનવામાં આવે છે કે સંસદના શિયાળુ સત્રમાં જ આ બિલ રજૂ કરી શકાય છે.
ડ્રાફ્ટ મુજબ, જે વ્યક્તિ સ્થાવર મિલકત આધાર સાથે જોડશે અને જો સંપત્તિ પર બીજાનો કબ્જો હશે તો તેને મુક્ત કરવાની જવાબદારી સરકારની રહેશે. જો સરકાર માલિકને કબ્જો નહી અપાવી શકે તો વળતર ચૂકવશે. રજિસ્ટ્રાર ઓફિસમાં ખસરા નંબરના આધારે ટાઇટલ (માલિકી) જનરેટ કરવું પડશે અને પછી તેને આધાર સાથે લિંક કરવું પડશે.
મિલકતની ખરીદી અને વેચાણમાં નિર્ધારિત શરતોની સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે. આધાર સાથે લિંક કર્યા પછી, મિલકત ઘરે બેઠા બાયમેટ્રિક દ્વારા વેચી શકાશે. નવા કાયદાને કાંતો ઇન્ક્રિમેન્ટલી અમલ કરી શકાય છે, જે અંતર્ગત જમીન વેચતી વખતે અથવા ટ્રાન્સફર કરતી વખતે તેને આધાર સાથે જોડવામાં આવશે. તેનો અમલ જિલ્લાવાર પણ કરી શકાય છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
