મા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદી
રાજસ્થાનના સુમેરપુરમાં બુધવારે ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા.
રાજસ્થાનના સુમેરપુરમાં બુધવારે ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા. નેશનલ હેરાલ્ડ મામલાને ઉઠાવતા મોદીએ કહ્યુ કે હું જોઉ છુ કે રાહુલ અને સોનિયા ગાંધી આનાથી કેવી રીતે બચે છે. ભાજપ ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કોંગ્રેસે જે કામ નથી કર્યુ તેનો જવાબ મોદી પાસે માંગી રહી છે. પહેલા ચાર પેઢીનો જવાબ આપો પછી 4 વર્ષનો જવાબ માંગો.

જોઉ છુ એ કેવી રીતે બચે છે
કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ચૂંટણી તો હારી ચૂકી છે, હવે એ લોકો એ ફિરાકમાં લાગેલા છે કે આ હારનું ઠીકરુ નામદારના માથા પર ના ફૂટે. મોદીએ અહીં કહ્યુ કે છેલ્લા 70 વર્ષોમાં કોંગ્રેસ ખરાબ રીતે સમાજમાં ભાગલા પાડ્યા અને દેશને લૂંટવાનું કામ કર્યુ છે. પીએમે કહ્યુ કે ગાંધી પરિવાર ચાર પેઢીઓથી મલાઈ ખાધી છે. તેમણે કહ્યુ કે કરોડોની હેરાફેરીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર છે. ગઈ સરકારે આ ફાઈલ બંધ કરી દીધી હતી પરંતુ હું જોઉ છુ કે બંને કેવી રીતે બચે છે.

નામદાર જામીન પર છે
મોદીએ કહ્યુ, ‘સુપ્રીમ કોર્ટે નામદારોના કાળા કારનામાના ચિઠ્ઠા ખોલવાનો અધિકાર સરકારને આપી દીધો છે. જોઈએ છીએ આ લૂંટ મચાવનારા કેટલા બચીને નીકળે છે. દેશે એ ક્યારેય નહોતુ વિચાર્યુ કે જે નામદારોએ ચાર ચાર પેઢીઓથી દેશ પર રાજ કર્યુ છે તેમને એક ચાવાળો અદાલતના દરવાજે લઈ જશે અને આજે તે નામદાર કરોડો રૂપિયાની હેરાફેરીમાં જામીન પર ફરી રહ્યા છે.'

હું મોઢામાં સોનાની ચમચી લઈને પેદા નથી થયો
પીએમે કહ્યુ, ‘યુપીએના સમયમાં દેશમાં વીવીઆઈપી હેલિકોપ્ટરનો ગોટાળો થયો. અમે સરકારમાં આવ્યા બાદ એ ગોટાળાની તપાસમાં નીકળ્યા અને તેમાં એક રાઝદાર અમારા હાથ લાગી ગયો. આજે સમાચારોમાં વાંચ્યુ હશે ભારત સરકાર એ રાઝદારને દુબઈથી લઈ આવી છે. હવે રાઝદાર રાઝ ખોલશે તો ખબર નહિ વાત કેટલી દૂર સુધી જશે.' નરેન્દ્ર મોદીએ અહીં કહ્યુ કે કોંગ્રેસની સરકારે મલાઈ ખાધી પરંતુ તે સેવા કરી રહ્યા છે. મોદીએ કહ્યુ કે હું કોઈ સોનાની ચમચી લઈને પેદા નથી થયો, જે નામદાર છે તે ગરીબની પીડા નથી સમજતા પરંતુ હું સમજુ છુ. કોંગ્રેસના સમયમાં સતત ગોટાળા થયા પરંતુ અમારા સમયમાં કોઈ ઘપલા નથી થયા.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
