Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વરૂણ ગાંધી બન્યા બળવાખોર, કર્યો મોદીનો વિરોધ

varun
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ભાજપના ગાંધી હવે બળવાખોર થઇ રહ્યા છે. તેમણે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરોધમાં બોલવાનું ચાલુ કરી દીધું છે. અમે વાત કરી રહ્યા છીએ પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીની. વરુણ ગાંધીના રાજનૈતિક પૈતરાઓથી કોણ વાકેફ નથી? વિવાદાસ્પદ નિવેદનબાજી કરવી વરૂણ ગાંધીની જૂની આદત છે, પરંતુ આ વખતે તેમણે પોતાની જ પાર્ટીની વિરુધ્ધ રણશીંગુ ફૂખી દીધું છે.

પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં લાખોની ભીડ એકઠી થવાનો દાવો કરનારી પાર્ટીની વરૂણ ગાંધીએ પોલ ખોલી દીધી છે. વરૂણ ગાંધીએ ખુલાસો કર્યો છે કે કોલકાતામાં થયેલી નરેન્દ્ર મોદીની જનચેતના રેલીમાં અસલમાં માત્ર 40-50 હજાર લોકો જ આવ્યા હતા.

જોકે હાલમાં જ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાંઉન્ડમાં મોદીની જનચેતના રેલીથી ભરાઇ ગયો હતો, જેના બાદ ભાજપાએ દાવો કર્યો હતો કે મોદીની રેલીમાં બે લાખ લોકો આવ્યા હતા, મોદીની રેલી પહેલા આ ગ્રાઉન્ડ પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી થઇ હતી જેમાં લાખોની ભીડ ઉમટી પડી હતી. મોદીએ પણ પોતાના ભાષણમાં રેલીમાં ઉમટી પડેલી ભીડ તરફ ઇશારો કર્યો હતો, પરંતુ વરૂણ ગાંધીએ મોદી અને અન્ય ભાજપ નેતાઓના દાવાની હવા નીકાળી નાખી છે.

ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી વરૂણ ગાંધીએ જણાવ્યું છે કે રેલીની સફળતાને ઠીક ઠીક ગણાવી છે. તેમણે જણાવ્યું કે મારી પ્રતિક્રિયા સારી એટલા માટે નથી કારણ કે આપના આંકડા ખોટા છે. રેલીમાં બે લાખ લોકો નહીં પરંતુ માત્ર 45થી 50 હજાર લોકો જ હાજર રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X