વરૂણ ગાંધી બન્યા બળવાખોર, કર્યો મોદીનો વિરોધ

પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં લાખોની ભીડ એકઠી થવાનો દાવો કરનારી પાર્ટીની વરૂણ ગાંધીએ પોલ ખોલી દીધી છે. વરૂણ ગાંધીએ ખુલાસો કર્યો છે કે કોલકાતામાં થયેલી નરેન્દ્ર મોદીની જનચેતના રેલીમાં અસલમાં માત્ર 40-50 હજાર લોકો જ આવ્યા હતા.
જોકે હાલમાં જ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાંઉન્ડમાં મોદીની જનચેતના રેલીથી ભરાઇ ગયો હતો, જેના બાદ ભાજપાએ દાવો કર્યો હતો કે મોદીની રેલીમાં બે લાખ લોકો આવ્યા હતા, મોદીની રેલી પહેલા આ ગ્રાઉન્ડ પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી થઇ હતી જેમાં લાખોની ભીડ ઉમટી પડી હતી. મોદીએ પણ પોતાના ભાષણમાં રેલીમાં ઉમટી પડેલી ભીડ તરફ ઇશારો કર્યો હતો, પરંતુ વરૂણ ગાંધીએ મોદી અને અન્ય ભાજપ નેતાઓના દાવાની હવા નીકાળી નાખી છે.
ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી વરૂણ ગાંધીએ જણાવ્યું છે કે રેલીની સફળતાને ઠીક ઠીક ગણાવી છે. તેમણે જણાવ્યું કે મારી પ્રતિક્રિયા સારી એટલા માટે નથી કારણ કે આપના આંકડા ખોટા છે. રેલીમાં બે લાખ લોકો નહીં પરંતુ માત્ર 45થી 50 હજાર લોકો જ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
