ઝારખંડમાં પીએમ મોદી બોલ્યાઃ કોંગ્રેસ માટે ખેડૂતો મતબેંક, અમારા માટે અન્નદાતા
શનિવારે ઝારખંડ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે.
શનિવારે ઝારખંડ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે. પલામુમાં ઘણી પરિયોજનાઓના શિલાન્યાસ બાદ રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કોંગ્રેસે જો વ્યવસ્થિત કામ કર્યુ હોત તો આજે ખેડૂત હેરાન ન હોત, તેને દેવુ લેવાની જરૂર ના પડત. કોંગ્રેસે સતત ક્યારેક દેવામાફી તો ક્યારેક અન્ય રીતોથી ખેડૂતોને લલચાવવાનું કામ કર્યુ, તેમના સારા માટે કામ ન કર્યુ.

મોદીએ કહ્યુ, કોંગ્રેસ માટે ખેડૂત માત્ર મતબેંક છે પરંતુ અમારા માટે ખેડૂત અમારા અન્નદાતા છે, કોંગ્રેસ અને ભાજપમાં આ જ અંતર છે. કોંગ્રેસની સરકારોએ સમય રહેતા ખેડૂત હિતોની પરિયોજનાઓ પૂરી કરી દીધી હોત તો આજે ખેડૂતોને દેવુ લેવાની જરૂર ના પડત. પહેલા કોંગ્રેસ સરકારોએ ખેડૂતોને દેવુ લેવા પર મજબૂર કર્યા અને આજે કોંગ્રેસ દેવામાફીના નામ પર ખેડૂતોને ભટકાવી રહી છે. કોંગ્રેસે માત્ર પરિયોજનાઓને લટકાવવાનું કામ કર્યુ પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે, અમે સતત ખેડૂત અને સામાન્ય જનતા માટે કામ કરી રહ્યા છે.

મોદીએ કહ્યુ કે ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના ખેડૂતોને શક્તિશાળઈ બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છે. અમે ખેડૂતો અને દેશની સેવાને પોતાનો ધર્મ માનીને કાર્ય કરી રહ્યા છે. વચ્ચેથી બજાર સુધી નવી વ્યવસ્થા ઉભી કરીને અમે ખેડૂતોને સશક્ત કરી રહ્યા છે. પહેલાની યોજનાઓ જે નામોના આધાર પર ચાલી તે આજે જમીન પર દેખાતી નથી. અમારી સરકાર નામના ઝઘડાઓમાં નહિ પડીને કામ કરવામાં વિશ્વાસ રાખે છે. અમારી સરકારમાં દલાલો અને વચેટિયાઓની કોઈ જગ્યા નથી.
અમે સરકારની યોજનાઓને લાભાર્થીઓના ખાતાઓમાં સીધા પૈસા જમા કરીને પારદર્શક અને ઈમાનદાર કામ કરી રહ્યા છે. પોતાની સરકારના સારા કામ કરવાનો દાવો કરતા મોદીએ કહ્યુ કે જ્યારે દેશમાં રિમોટ કંટ્રોલની સરકાર હતી તો તેમણે પાંચ વર્ષમાં ગામોમાં માત્ર 25 લાખ ઘર બનાવ્યા હતા અને અમે પાંચ વર્ષથી પણ ઓછા સમયમાં 1 કરોડ 25 લાખ ઘર બનાવી દીધા છે. પહેલા જે ઘર મળતા હતા તેમાં માત્ર ખાલી ચાર દિવાલો હતી પરંતુ હવે જે ઘર મળી રહ્યા છે તેમાં તમામ મૂળભૂત સુવિધાઓ છે જે એક પરિવાર માટે જરૂરી હોય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઝારખંડના પ્રવાસ પર છે. અહીં તેમણે મેદનીનગરમાં ઉત્તર કોયલ (મંડલ ડેમ) પરિયોજના સહિત છ પરિયોજનાઓની આધારશિલા મૂકી છે. આ યોજનાઓ પર 25,202 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાનો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
