રાષ્ટ્રીય પરિષદ: આજે નરેન્દ્ર મોદી ભણાવશે 'સુશાસન'ના પાઠ

narendra-modi
નવી દિલ્હી, 3 માર્ચ: ભાજપા રાષ્ટ્રીય પરિષદની બેઠકનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. તાલકટોર સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મંથન બેઠકમાં નરેન્દ્ર મોદીના નામનો જ ડંકો વાગી રહ્યો છે. સંભવ છે કે દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ તે પહેલાં નરેન્દ્ર મોદી આજે લગભગ 4,000 પ્રતિનીધીઓ વાળી ભાજપા રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધશે જેમાં તે 'સુશાસન' વિષય પર બોલશે.

શનિવારે ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારણીમાં નરેન્દ્ર મોદીને જબરજસ્ત સમર્થન મળ્યું હતું. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે તેમને 'લોકપ્રિય મુખ્યમંત્રી'ના ખિતાબથી નવાજ્યાં હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં સતત ત્રીજીવાર મળેલી સફળતાથી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને ગર્વ છે. પાર્ટીએ એક વ્યક્તિના નેતૃત્વમાં આ પ્રકારની સફળતા પહેલાં ક્યારેય જોઇ નથી. આ ભાજપમાં એક નવો ઇતિહાસ છે. લગભગ 4,000 પ્રતિનિધીઓ વાળી ભાજપા રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં મંચ પર બેઠેલા રાષ્ટ્રીય નેતાઓએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી ઉપરાંત તેમને ખાસ સ્થાન પણ આપ્યું હતું.

બેઠકમાં નરેન્દ્ર મોદી વિશે પાર્ટીના વલણથી સ્પષ્ટ સંકેત મળવા લાગ્યા છે કે નરેન્દ્ર મોદીને જલદી જ મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે. આ વાતની ચર્ચાઓ તેજીથી વધી રહી છે નવી સંસદીય બોર્ડમાં નરેન્દ્ર મોદીને સ્થાન મળી શકે છે. જો આવું થયું તો વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની દાવેદારીને મદદ મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X