શકુનીએ કહ્યું ભાગલપુરની જમીનમાં દફનાવી દઇશું મોદીને
પટણા, 21 એપ્રિલ: લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચની કડકાઇ છતાં નેતાઓ દ્વારા બેબાક ભાષણો કરવામાં આવી રહ્યા છે. આ વખતે ઝેર ઓક્યું છે બિહારમાં જેડીયૂના નેતા શકુની ચૌધરીએ. તેમણે રવિવારના રોજ એક રેલીમાં જણાવ્યું હતું કે તેઓ બિહારની જનતાથી અપીલ કરે છે કે તેઓ એકજૂથ થઇ જાય તો તેઓ નરેન્દ્ર મોદીને ભાગલપુરની જમીનમાં જ દફનાવી દેશે. તેમને બીજે ક્યાંય જવાની જરૂર નથી.
અત્રે ઉ્લ્લેખનીય છે કે મોદીના પીએમ પદના ઉમેદવાર બન્યા બાદ જ જેડીયૂએ એનડીએ સાથે પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો, અને નીતિશ કુમારનો મોદી વિરોધ કોઇનાથી છૂપાયેલો નથી. જેમ જેમ ચૂંટણી આગળ વધતી જઇ રહી છે, નેતાઓની જીબ વધુને વધુ તીખી થઇ રહી છે.
વિરોધીઓ પર વાર કરવામાં ક્યારેક કોઇ મર્યાદાઓને તોડી નાખે તેની ખબર જ નથી પડતી. આ પહેલા પણ ઘણા નેતાઓ આ પ્રકારના નિવેદનો કરી ચૂક્યા છે. ફરિયાદોના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી પણ કરી છે, પરંતુ નેતાઓ દ્વારા જોશમાં આવીને જનતાની સામે આવા બોલ બોલી રહ્યા છે.

-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
