National Herald Case : નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટના મતે ED તપાસ ચાલુ રાખી શકે છે, પરંતુ વર્તમાન ચાર્જશીટ પર આગળ કાર્યવાહી થશે નહીં.

આ ચાર્જશીટમાં સેમ પિત્રોડા, સુમન દુબે, સુનીલ ભંડારી, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડના નામ શામેલ છે. કોંગ્રેસે આ કેસને રાજકીય વેરભાવ ગણાવ્યો છે, જ્યારે ED તેને ગંભીર આર્થિક ગુનો અને મની લોન્ડરિંગનો મામલો ગણે છે.
ED નો દાવો છે કે સોનિયા અને રાહુલ ગાંધીએ 'યંગ ઇન્ડિયન' કંપની મારફતે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની 2,000 કરોડની સંપત્તિઓ માત્ર 50 લાખમાં હસ્તગત કરી હતી. ED મુજબ, આ કંપનીના 76% શેર સોનિયા અને રાહુલની માલિકીના છે.
આ કેસમાં ગુનાની આવક 988 કરોડ અને સંબંધિત સંપત્તિઓનું બજાર મૂલ્ય 5,000 કરોડ આંકવામાં આવ્યું છે. આ એક હાઈ-પ્રોફાઈલ આર્થિક મામલો છે.
ચાર્જશીટ દાખલ થતા પહેલાં EDએ તપાસ દરમિયાન ઘણી સંપત્તિઓ જપ્ત કરી છે. 12 એપ્રિલ 2025ના રોજ દિલ્હી, મુંબઈના બાંદ્રા ઈસ્ટ અને લખનઉમાં આવેલી AJLની ઇમારતો પર નોટિસ ચોંટાડાઈ હતી. નવેમ્બર 2023માં, ગુનાની આવક સુરક્ષિત કરવા 661 કરોડની સ્થાવર મિલકતો અને 90.2 કરોડના શેર જપ્ત કરાયા, જેનો હેતુ સંપત્તિઓના નાશ કે સ્થાનાંતરણને રોકવાનો હતો.
નેશનલ હેરાલ્ડ કેસનો સંબંધ નેશનલ હેરાલ્ડ સમાચારપત્ર સાથે છે, જેની સ્થાપના 1938માં જવાહરલાલ નેહરુ અને 5,000 સ્વતંત્રતા સેનાનીઓએ કરી હતી. તેનું પ્રકાશન એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા કરાતું હતું.
નેશનલ હેરાલ્ડ 2008માં બંધ થયા બાદ તેના અધિગ્રહણ અને સંપત્તિ વિવાદના સમાચારો સામે આવ્યા. EDનો આરોપ છે કે સંપત્તિના અધિગ્રહણમાં આર્થિક ગુના અને મની લોન્ડરિંગનો સમાવેશ હોવાથી, આ મામલો હાઈ-પ્રોફાઈલ બન્યો છે.












Click it and Unblock the Notifications
