Hindi Diwas 2018: હિંદી દિવસ મનાવવાની જરૂર કેમ પડી?
આજે એટલે કે 14 સપ્ટેમ્બરને ભારતમા હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. હિંદી એક એવી ભાષા છે જેને દુનિયાભરના 258 મિલિયન લોકો બોલે છે.
આજે એટલે કે 14 સપ્ટેમ્બરને ભારતમા હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. હિંદી એક એવી ભાષા છે જેને દુનિયાભરના 258 મિલિયન લોકો બોલે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેવનાગરીમાં લખેલી હિંદીને ભારતની અધિકૃત ભાષા તરીકે અપનાવી હતી.

ગાંધીજીએ હિંદીને જનમાનસની ભાષા કહી
હાલમાં ભારતમાં 22 ભાષાઓ છે જેમાંથી બે ભાષાઓને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા મળેલી છે. અંગ્રેજી અને હિંદી. વર્ષ 1918 માં ગાંધીજીએ હિંદી સાહિત્ય સંમેલનમાં હિંદી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા કહ્યુ હતુ. તેને ગાંધીજીએ જનમાનસની ભાષા પણ કહી હતી.

શું હોય છે હિંદી દિવસ પર?
હિંદી દિવસ પર હિંદી પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના હેતુસર ભાષા સમ્માનની શરૂઆત કરવામાં આવી છે. આ સમ્માન પ્રતિવર્ષ દેશના એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે જન-જનમાં હિંદી ભાષાના પ્રયોગ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપ્યુ છે. આના માટે સમ્માન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

ખાસ વાતો
બોલનારા લોકોની સંખ્યા અનુસાર અંગ્રેજી અને ચીની ભાષા બાદ સમગ્ર દુનિયામાં ચોથી સૌથી મોટી ભાષા છે. પરંતુ તેને સારી રીતે સમજવા, વાંચવા અને લખનારાની સંખ્યા બહુ ઓછી છે. આ જ કારણે એવા લોકો જે હિંદીનું જ્ઞાન ધરાવે છે કે હિંદી ભાષા જાણે છે, તેમને હિંદી પ્રત્યે પોતાનો કર્તવ્ય બોધ કરાવવા માટે આ દિવસને હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. જેથી તે બધા પોતાના કર્તવ્યનું પાલન કરીને હિંદી ભાષાને ભવિષ્યમાં વિલુપ્ત થતાં બચાવી શકે.

હિંદીની જગ્યાએ હિંગલિશ
આજે લોકો હિંદીની જગ્યાએ હિંગલિશ બોલે છે. તમે તમારી ચારે તરફ નજર દોડાવો તો તમને ખબર પડી જશે કે અમે સાચા છીએ. માત્ર સામાન્ય જિંદગી જ નહિ પરંતુ મનોરંજનના સાધનોમાં પણ હિંગલિશની બોલબાલા છે. જેમ કે ફિલ્મોને જ લઈ લો. ધ ડર્ટી પિક્ચર, કાઈટ્સ, રોક સ્ટાર, નો વન કિલ્ડ જેસિકા, વોન્ટેડ, રેડી, બોડીગાર્ડ, રા વન, હિરોઈન, ઈશ્ક ઈન પેરિશ તમામ એવા ઉદાહરણ છે જે આપને બતાવશે કે આજે લોકો હિંદીની જગ્યાએ હિંદી-ઈંગ્લીશ મિલાવીને બોલે છે. બદલતા પરિવેશમાં આપણે અંગ્રેજી શીખવી જરૂરી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે પોતાની ઓળખ હિંદી ભાષાને જ ભૂલી જઈએ. એટલા માટે આના વિશે વાંચો, વિચારો અને સમજો.
આપ સહુને હિંદી દિવસની શુભકામનાઓ...
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
