Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

National News : શિમલામાં ગેસ લીક બ્લાસ્ટને કારણે એકનું મોત, 13 લોકો ઘાયલ

National News : શિમલાના હાર્દમાં મોલ રોડ પર એક ખાણીપીણીની જગ્યામાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 10 ઘાયલ થયા હતા. મંગળવારની સાંજે બનેલી આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, વિસ્ફોટ પાછળનું કારણ દેખીતી રીતે ગેસ લીક હતું.

ગેસ લીક વિસ્ફોટ શહેરના મધ્યમાં મોલ રોડ પર ફાયર બ્રિગેડ ઓફિસની બાજુમાં આવેલા મિડલ બજારમાં સ્થિત હિમાચલી ભોજન પીરસવા માટે જાણીતી હિમાચલી રસોઈ રેસ્ટોરન્ટમાં થયો હતો.

Shimla eatery gas leak blast

બુધવારના રોજ વિસ્ફોટ સ્થળની મુલાકાત લેનાર પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય કુંડૂએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ અને ફોરેન્સિક પરીક્ષાએ ધ્યાન દોર્યું છે કે, ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો, પરંતુ અંતિમ અહેવાલ પ્રાપ્ત થાય, ત્યાં સુધી અમે હજૂ પણ તમામ ખૂણાઓની તપાસ કરી રહ્યા છીએ. શિમલા એક પર્યટન સ્થળ છે અને આવી ઘટનાઓને હળવાશથી ન લઈ શકાય.

પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય કુંડૂએ જણાવ્યું હતું કે, શિમલાના પોલીસ અધિક્ષકને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની સહાયથી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવા જણાવ્યું હતું.

પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય કુંડૂએ જણાવ્યું હતું કે, અહીં ગેસ, ઈલેક્ટ્રીક સપ્લાય, કોમ્પ્રેસર અથવા ફ્રિજની સગવડો ધરાવતી ઘણી બધી ખાણીપીણી અને હોટલ છે અને અમે સંબંધિત અધિકારીઓને આ સ્થળોએ સલામતીનાં પગલાં તપાસવા માટે કહીશું.

શિમલાના એસપી સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે, એક ઘાયલ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, બે સિલિન્ડરોમાંથી મોટા પ્રમાણમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લીક થયો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો.

ઘાયલોની સંખ્યા 13 હતી અને તેમાંથી આઠને ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલ (IGMCH) શિમલામાંથી રજા આપવામાં આવી છે, જ્યારે એકની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, વિસ્ફોટની 20 મિનિટ પહેલા સ્થાનિકોએ ગેસ લીક થવાની ફરિયાદ કરી હતી.

વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે, આજુબાજુની અનેક દુકાનો અને મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા અને અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.

આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે તે હિમાચલી રસોઈ પાસેથી પસાર થઇ રહ્યો હતો. વિસ્ફોટ સ્થળથી થોડે દૂર સ્થિત પ્લાઝા હોટલના માલિક અવનીશ તરીકે ઓળખાતા મૃતક મંદિરમાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટના કારણની તપાસ માટે ફોરેન્સિક ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ભાજપના પ્રવક્તા કરણ નંદાએ આ ઘટનાની તપાસ અને દુકાનદારોને પૂરતું વળતર આપવાની માંગ કરી છે, જેમની દુકાનોને નુકસાન થયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X