નેશનલ સ્પોર્ટ્સ ડે પર પીએમ મોદીએ મેજર ધ્યાનચંદને આપી શ્રદ્ધાંજલિ
દેશ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે મનાવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્લીઃ દેશ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે મનાવે છે. આ દિવસે હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી અને પ્રતિભાશાળી એથલીટો માટે પરિવારો અને કોચની પ્રશંસા પણ કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર પર લખ્યુ, 'ભારત સરકાર રમતગમતને લોકપ્રિય બનાવવા અને ભારતમાં ખેલ પ્રતિભાઓને સમર્થન આપવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. હું બધાને રમતગમત અને ફિટનેસને પોતાની દિનચર્ચાનો હિસ્સો બનાવવાનો આગ્રહ કરુ છુ. આમ કરવાના ઘણા ફાયદા છે. દરકે જણ ખુશ અને સ્વસ્થ હોઈ શકે છે.'
પીએમે આગળ કહ્યુ, 'આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ પર અમે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપીએ છે, જેમની હૉકી સ્ટિકનો જાદુ ક્યારેય ભૂલી નહિ શકાય. આજે આપણા પ્રતિભાશાળી એથલીટોની સફળતા માટે પરિવારો, કોચો અને સહયોગી કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ ઉત્કૃષ્ટ સમર્થનની પ્રશંસા કરવાનો પણ દિવસ છે. રાષ્ટ્રીય ખેલ દિવસ એ બધા ખેલાડીઓની ઉપલબ્ધિઓનો જશ્ન મનાવવાનો દિવસ છે, જેમણે વિવિધ ખેલોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે અને આપણા દેશને ગૌરવાન્વિત કર્યુ છે. '
Today, on #NationalSportsDay, we pay tributes to Major Dhyan Chand, whose magic with the hockey stick can never be forgotten. This is also a day to laud the outstanding support given by the families, coaches and support staff towards the success of our talented athletes: PM Modi pic.twitter.com/1xSW2Ch8iC
— ANI (@ANI) August 29, 2020
ઓરિસ્સામાં પૂરના કારણે હાલ બેહાલ, અત્યાર સુધી 12 લોકોના મોત