#NationalUnemploymentDay : PM મોદીનો જન્મદિવસ કોંગ્રેસ બેરોજગાર દિવસ તરીકે ઉજવશે
કોંગ્રેસનો આરોપ છે કે, દેશમાં બેરોજગારીનો દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ યુવા કોંગ્રેસ દ્વારા 17મી સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' ઉજવશે.
#NationalUnemploymentDay : આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જેને ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા આજના દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે ઉજવવા માટે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ વિંગનો આરોપ છે કે, દેશમાં બેરોજગારીનો દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા 17મી સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે માર્ક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 71મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. "જન્મદિવસની શુભેચ્છાઓ, મોદીજી" ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી.
Happy birthday, Modi ji.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2021
આ બાબતને ઘણા યુઝર્સ વિચિત્ર માને છે. જ્યારે એક ટ્વિટર યુઝરે રાહુલ ગાંધીના જન્મદિવસ પર વડાપ્રધાન મોદીના ટ્વિટ તરફ ધ્યાન દોર્યું હતું, જે સમયે પણ ઘણાને આશ્ચર્ય થયું કે, જ્યારે ભારતીય યુવા કોંગ્રેસ 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' મનાવી રહી છે.
The government forced teachers to stage protests seeking appointment letters acrossthe country#NationalUnemploymentDay pic.twitter.com/RqqppuowmA
— Youth Congress (@IYC) September 17, 2021
ભારતીય યુવા કોંગ્રેસે આ દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે ઉજવવા માટે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ભારતીય યુવા કોંગ્રેસનો દાવો છે કે, દેશમાં બેરોજગારીનો દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે.
मोदी सरकार ने अपने 'मितरों' को फायदा पहुंचाने के लिए अन्य व्यवसायों पर प्रहार किया है, जिसके कारण बेरोजगारी बढ़ी है।
— Congress (@INCIndia) September 17, 2021
मोदी सरकार की नीति ने बेरोजगारी बढ़ाकर युवाओं को आत्मनिर्भर कर दिया है। #NationalUnemploymentDay pic.twitter.com/qYXycgmzBY
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો આજે રસ્તાઓ પર બેરોજગાર ભટકી રહ્યા છે. "મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાના મોટા વચનો આપીને સત્તામાં આવી હતી, પરંતુ આજે કેન્દ્ર સરકાર રોજગારના મુદ્દે સંપૂર્ણપણે મૌન છે."
देश में तीव्र गति से बढ़ती बेरोजगारी हर युवा को अपनी जद में ले रही है। बेरोजगार युवा हताश हैं और नौकरीपेशा अपना रोजगार छिन जाने के भय में; यह हताशा और भय का माहौल मोदी निर्मित है।#NationalUnemploymentDay pic.twitter.com/woHahkVSkf
— Congress (@INCIndia) September 17, 2021
શ્રીનિવાસ બીવીએ કહ્યું કે, સરકાર પોતાના ખોટા પ્રચારને ફેલાવીને તેના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, ભારતભરમાં બેરોજગારીનો દર એટલા માટે વધી ગયો છે. કારણ કે, મોદી સરકાર તેના અન્ય મિત્રોને ફાયદો પહોંચાડવા માટે અન્ય વ્યવસાયો ધરાવે છે. "મોદી સરકારની નીતિએ બેરોજગારી વધારીને યુવાનોને આત્મનિર્ભર બનાવ્યા છે." પાર્ટીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું.
प्रधानमंत्री जी जुमले नहीं रोजगार बढ़ाओ।
— Congress (@INCIndia) September 17, 2021
देश के युवाओं को रोजगार दिलाओ।#NationalUnemploymentDay pic.twitter.com/I2FuKnGWUn
કોંગ્રેસે એક વીડિયો ક્લિપ પણ પોસ્ટ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસના (કોવિડ -19) રોગચાળાના સમયગાળા દરમિયાન 'ફેક ન્યૂઝ' નો ફેલાવો વધ્યો હતો. કારણ કે, મોદી સરકાર તેને ફેલાવાનો ઈરાદો ધરાવે છે. કોંગ્રેસે મોદીના જન્મદિવસે લખ્યું કે, જ્યારે તમારી પાસે તમારી સિદ્ધિઓ બતાવવા માટે કંઈ નથી, ત્યારે તમારે કંઈક બનાવવું પડશે.












Click it and Unblock the Notifications
