#NationalUnemploymentDay : PM મોદીનો જન્મદિવસ કોંગ્રેસ બેરોજગાર દિવસ તરીકે ઉજવશે

કોંગ્રેસનો આરોપ છે કે, દેશમાં બેરોજગારીનો દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ યુવા કોંગ્રેસ દ્વારા 17મી સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' ઉજવશે.

#NationalUnemploymentDay : આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જેને ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા આજના દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે ઉજવવા માટે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ વિંગનો આરોપ છે કે, દેશમાં બેરોજગારીનો દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે.

કોંગ્રેસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા 17મી સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે માર્ક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 71મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. "જન્મદિવસની શુભેચ્છાઓ, મોદીજી" ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

આ બાબતને ઘણા યુઝર્સ વિચિત્ર માને છે. જ્યારે એક ટ્વિટર યુઝરે રાહુલ ગાંધીના જન્મદિવસ પર વડાપ્રધાન મોદીના ટ્વિટ તરફ ધ્યાન દોર્યું હતું, જે સમયે પણ ઘણાને આશ્ચર્ય થયું કે, જ્યારે ભારતીય યુવા કોંગ્રેસ 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' મનાવી રહી છે.

ભારતીય યુવા કોંગ્રેસે આ દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે ઉજવવા માટે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ભારતીય યુવા કોંગ્રેસનો દાવો છે કે, દેશમાં બેરોજગારીનો દર માત્ર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે.

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો આજે રસ્તાઓ પર બેરોજગાર ભટકી રહ્યા છે. "મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાના મોટા વચનો આપીને સત્તામાં આવી હતી, પરંતુ આજે કેન્દ્ર સરકાર રોજગારના મુદ્દે સંપૂર્ણપણે મૌન છે."

શ્રીનિવાસ બીવીએ કહ્યું કે, સરકાર પોતાના ખોટા પ્રચારને ફેલાવીને તેના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, ભારતભરમાં બેરોજગારીનો દર એટલા માટે વધી ગયો છે. કારણ કે, મોદી સરકાર તેના અન્ય મિત્રોને ફાયદો પહોંચાડવા માટે અન્ય વ્યવસાયો ધરાવે છે. "મોદી સરકારની નીતિએ બેરોજગારી વધારીને યુવાનોને આત્મનિર્ભર બનાવ્યા છે." પાર્ટીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું.

કોંગ્રેસે એક વીડિયો ક્લિપ પણ પોસ્ટ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસના (કોવિડ -19) રોગચાળાના સમયગાળા દરમિયાન 'ફેક ન્યૂઝ' નો ફેલાવો વધ્યો હતો. કારણ કે, મોદી સરકાર તેને ફેલાવાનો ઈરાદો ધરાવે છે. કોંગ્રેસે મોદીના જન્મદિવસે લખ્યું કે, જ્યારે તમારી પાસે તમારી સિદ્ધિઓ બતાવવા માટે કંઈ નથી, ત્યારે તમારે કંઈક બનાવવું પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X