વાયુસેનામાં 7 કર્મચારી પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા
ભારતીય વાયુસેનામાં જાસૂસી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશ પોલિસે 7 કર્મચારીઓની ધરપકડ કરી છે.
ભારતીય વાયુસેનામાં જાસૂસી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશ પોલિસે 7 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલિસે કેસ નોંધીને સમગ્ર જાસૂસી રેકેટની તપાસ શરૂ કરી દીધી છે. પકડાયેલા બધા વાયુસેનાના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જાસૂસી રેકેટના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

આંધ્ર પ્રદેશ પોલિસની ખુફિયા શાખાએ શુક્રવારે આ મોટો ખુલાસો કરીને કહ્યુ કે જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલિસે જણાવ્યુ કે આ ઑપરેશનને કેન્દ્રીય ખુફિયા એજન્સીઓ અને વાયુસેનાના ખુફિયા વિભાગે સાથે મળીને અંજામ આપ્યો. ઑપરેશન ડૉલ્ફિન્સ નોઝના નામથી ચલાવાયેલ આ ઑપરેશનમાં ટીમને મોટી સફળતા મળી છે. પોલિસે જણાવ્યુ કે કેસમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે અને વાયુસેનાના 7 કર્મચારીઓ સહિત એક હવાલા ઑપરેટરને દેશના અલગ અલગ ભાગોમાંથી પકડી લેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
