For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ-બાદલના દખલ બાદ સિદ્ધૂના અનશન રદ્દ

|
Google Oneindia Gujarati News

અમૃતસર, 28 સપ્ટેમ્બર: ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ તથા પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે અમૃતસરના વિકાસ અંગેના મુદ્દે ધ્યાન આપવાની ખાત્રી આપ્યા બાદ સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ આજથી શરૂ થનાર આમરણાંત ઉપવાસ છેલ્લી ઘડીએ રદ્દ કરી નાંખ્યું.

navjot

સિદ્ધૂએ અગાઉ મીડિયાને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ મારો અંગત નિર્ણય છે. નવજોત સિંહ સિદ્ધૂ 'અમૃતસર'ના વિકાસ પ્રોજેક્ટોની અવગણના કરવામાં આવતાં અને નગર સુધાર ટ્રસ્ટની રકમ બીજા કાઉન્સિલને મોકલવાના વિરોધમાં કરી રહ્યાં છે. ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે આ મુદ્દે સિદ્ધૂ સાથે વાત કરી અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે પણ ઘટતું કરવાની ખાત્રી આપી. તે પછી સિદ્ધૂએ અનશન રદ્દ કરી નાંખ્યા.

નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે અનશન અંગે પોતાની પત્નીનો પણ અભિપ્રાય લીધો નથી અને ના તો કોઇ સંબંધીને પણ કહેશે. આ અંગે તેમની પત્નીનું કહેવું છે કે હું તેમની તરફેણમાં નથી, મારા મત મુજબ તેમને મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સાથે સીધી વાત કરવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધૂના નિર્ણય પર પંજાબ ભાજપના અધ્યક્ષ કમલ શર્માએ કહ્યું હતું કે તેમને આ નિર્ણય પર પુનવિચાર કરવો જોઇએ. મુખ્યમંત્રી સુખવીર સિંહ બાદલે નવજોત સિંહ સિદ્ધૂના સંસદીય વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને પૂરા કરવાનો સમય નક્કી કરી દિધો છે અને અધિકારીને દિશા નિર્દેશ આપી દિધા છે.

English summary
Amritsar MP Navjot Singh Sidhu Saturday called off his scheduled fast-unto-death at the last minute after BJP president Rajnath Singh and Punjab Chief Minister Parkash Singh Badal intervened regarding the issues of Amritsar raised by him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X