પંજાબઃ જેલની રોટલીથી સિદ્ધુને છે એલર્જી, તપાસ માટે લઈ ગયા હોસ્પિટલ

સોમવારે સવારે સિદ્ધુને પટિયાલાની રાજિન્દ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ રોડ રેજ કેસમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા થઈ છે. જેના કારણે તે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. જ્યાંથી સોમવારે સવારે તેમને પટિયાલાની રાજિન્દ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ત્યાં ડૉક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે. જો સિદ્ધુ કોઈ બિમારીથી ગ્રસિત મળ્યા તો તેમને એ હિસાબે જેલમાં જમવાનુ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ સિદ્ધુએ જેલનું ભોજન ખાવાની ના પાડી દીધી હતી.

navjot singh sidhu

તેમનો દાવો છે કે તેમને ઘઉંમાંથી બનેલી વસ્તુઓથી એલર્જી છે. આ કારણે તે જેલની દાળ અને રોટલી નથી ખાતા. અત્યારે તે માત્ર સલાડ જ ખાય છે. નિયમો હેઠળ જેલ પ્રશાસન તેમને તબીબી સલાહ વિના બીજુ ભોજન આપી શકે નહિ. જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સિદ્ધુની સમસ્યાના ઉકેલ માટે જેલ પ્રશાસને મેડિકલ બોર્ડની પણ રચના કરી છે. જો બોર્ડને સિદ્ધુના દાવા સાચા લાગશે તો તેમને બીજુ ભોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તેમજ તપાસ બાદ તેમનો ડાયટ પ્લાન પણ નક્કી કરવામાં આવશે.

મીડિયા સલાહકારે કરી આ વાત

સિદ્ધુના મીડિયા સલાહકાર સુરિન્દર દલ્લાના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા એમ્બોલિઝમ જેવી તબીબી સ્થિતિથી પીડિત છે અને તેમને લીવરની બીમારી પણ છે. ડીપ વેઈન થ્રોમ્બોસિસની સ્થિતિને કારણે સિદ્ધુએ પગમાં પ્લાસ્ટિકની મોટી બેન્ડ પહેરવી પડે છે જેથી ગાંઠ ન બને. દલ્લાએ કહ્યું કે સિદ્ધુને દરરોજ દવાઓ લેવાની જરૂર છે. ડૉક્ટરોએ પણ તેમને ઘઉંના લોટના આહારથી દૂર રહેવાની સલાહ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X