સિદ્ધુનો સુષ્માને પત્ર, કરતારપુર કૉરિડોર માટે માન્યો આભાર
પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને કરતારપુર સાહિબ કૉરિડોર માટે આભાર માન્યો છે.
પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને કરતારપુર સાહિબ કૉરિડોર માટે આભાર માન્યો છે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કરતારપુર ગલિયારા નિર્માણ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

સિદ્ધુનો સુષ્માને પત્ર
નવજોત સિંહ સિદ્ધુએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્રમાં લખ્યુ છે, ‘શીખો અને પંજાબના લોકો માટે આ એક સપનુ સાચા થવા બરાબર છે. હું આના માટે કેન્દ્ર સરકારે ઉઠાવેલા પગલાંની પ્રશંસા કરુ છુ. અમે આ દિશામાં પોતાના પગરણ માંડીને આસ્થા અને ક્ષેત્ર માટે પ્રેમનો એક નવો અધ્યાય લખ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ અને આશા કરુ છુ કે આ કાર્ય નિર્વિવાદ અને યોગ્ય ફેરફાર સાથે પાક સાથેના આપણા સંબંધોમાં નરમી લાવવાનું કામ કરશે. આ એક પુલની જેમ વૈમનસ્યતા ભૂલાવીને બંને પડોશી દેશો માટે શાંતિનું કામ કરશે.'

પાક પીએમની પણ પ્રશંસા કરી નવજોત સિંહ સિદ્ધુએ
સિદ્ધુએ ભારતની સરકારની સાથે સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે બંદો પરખેલો છે અને ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે સંબંધો સારા થાય. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈમરાન ખાન 28 નવેમ્બરના રોજ અને ભારતમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને પંજાબના સીએમ અમરિંદર સિંહ 26 નવેમ્બરે કૉરિડોરનું શિલાન્યાસ કરશે.

ઈમરાને સિધ્ધુને બોલાવ્યા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરતારપુર સાહિબ કૉરિડોર શિલાન્યાસ સમારંભ માટે પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ આપ્યુ છે. ઈમરાન ખાને સિદ્ધુને પાકિસ્તાન આવીને કૉરિડોરના શિલાન્યાસ સમારંભમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે. સિદ્ધુએ કહ્યુ કે જો પાકિસ્તાનના પીએમ કરતારપુર કૉરિડોરના શિલાન્યાસમાં બોલાવશે તો તે જરૂર જશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
