For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલને 'બહારના' કહેનાર સિદ્ધુએ આપ્યા આપને અભિનંદન, કોંગ્રેસની હાર પર શું કહ્યુ?

નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીને જીતના અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી સત્તા જતી દેખાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોના અત્યાર સુધી જે વલણ સામે આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવી રહી છે. એટલુ જ નહિ, કોંગ્રેસ, શિરોમણી અકીલ દળ અને ભાજપ ગઠબંધનના ઘણા મોટા નેતા ચૂંટણી હારી ગયા છે અથવા હજુ પાછળ ચાલી રહ્યા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પોતાની સીટ અમૃતસર ઈસ્ટથી પાછળ ચાલી રહ્યા છે. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીને જીતના અભિનંદન પાઠવ્યા છે.

siddhu

સિદ્ધુએ કોંગ્રેસની હારનો કર્યો સ્વીકાર

પંજાબ ચૂંટણીના પરિણામોને લઈને નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'જનતાનો અવાજ જ ભગવાનનો અવાજ હોય છે, પંજાબના લોકોએ જે જનાદેશ આપ્યો છે તે વિનમ્રતાપૂર્વક સ્વીકાર્યો છે અને આમ આદમી પાર્ટીને જીતના અભિનંદન.' તમને જણાવી દઈએ કે ખુદ નવજોત સિદ્ધએ પોતાની સીટ અમૃતસર ઈસ્ટથી ઘણા પાછળ ચાલી રહ્યા છે. આ સીટથી આમ આદમી પાર્ટીની જીવન જ્યોત કૌર સિદ્ધુથી લગભગ 5 હજાર વોટથી આગળ ચાલી રહી છે. વળી, ત્રીજા સ્થાને શિરોમણી અકાલી દળના વિક્રમ મજીઠિયા છે.

English summary
Navjot singh sidhu congratulate to AAP win in punjab and Congress defeat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X