કેજરીવાલને 'બહારના' કહેનાર સિદ્ધુએ આપ્યા આપને અભિનંદન, કોંગ્રેસની હાર પર શું કહ્યુ?
નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીને જીતના અભિનંદન પાઠવ્યા છે.
ચંદીગઢઃ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી સત્તા જતી દેખાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોના અત્યાર સુધી જે વલણ સામે આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવી રહી છે. એટલુ જ નહિ, કોંગ્રેસ, શિરોમણી અકીલ દળ અને ભાજપ ગઠબંધનના ઘણા મોટા નેતા ચૂંટણી હારી ગયા છે અથવા હજુ પાછળ ચાલી રહ્યા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પોતાની સીટ અમૃતસર ઈસ્ટથી પાછળ ચાલી રહ્યા છે. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીને જીતના અભિનંદન પાઠવ્યા છે.
સિદ્ધુએ કોંગ્રેસની હારનો કર્યો સ્વીકાર
પંજાબ ચૂંટણીના પરિણામોને લઈને નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'જનતાનો અવાજ જ ભગવાનનો અવાજ હોય છે, પંજાબના લોકોએ જે જનાદેશ આપ્યો છે તે વિનમ્રતાપૂર્વક સ્વીકાર્યો છે અને આમ આદમી પાર્ટીને જીતના અભિનંદન.' તમને જણાવી દઈએ કે ખુદ નવજોત સિદ્ધએ પોતાની સીટ અમૃતસર ઈસ્ટથી ઘણા પાછળ ચાલી રહ્યા છે. આ સીટથી આમ આદમી પાર્ટીની જીવન જ્યોત કૌર સિદ્ધુથી લગભગ 5 હજાર વોટથી આગળ ચાલી રહી છે. વળી, ત્રીજા સ્થાને શિરોમણી અકાલી દળના વિક્રમ મજીઠિયા છે.