અમૃતસર ટ્રેન અકસ્માતઃ સિદ્ધુએ રેલવે પર ઉઠાવ્યો મોટો સવાલ
અમૃતસર ટ્રેન અકસ્માતઃ સિદ્ધુએ રેલવે પર ઉઠાવ્યો મોટો સવાલ
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં જેવી રીતે દશેરાના તહેવાર પર ઘટના બની, તેના પર રાજકારણ પણ ગરમાયું છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ ઘટનાને લઈને રેલવે પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ કહ્યું કે આખરે રેલવેએ એક દિવસમાં જ ડ્રાઈવરને ક્લિનચીટ આપી દીધી, જેણે રાવણ દહન જોઈ રહેલા 60થી વધુ લોકો પર ટ્રેન ચડાવી દીધી હતી. સિદ્ધુનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ ઘટના પાછળ રેલવેની કોઈ ભૂલ ન હોવાનું સ્પષ્ટપણે કહી દીધું હતું.

રેલવેએ કોઈ ભૂલ ન હોવાનું જણાવ્યું
રેલવે તરફથી કહેવામાં આવ્યું કે તેમને આયોજકો કે પછી સ્થાનિક તંત્ર તરફથી કોઈ જાણકારી નહોતી આપવામાં આવી કે રેલવે ટ્રેક પાસે દશેરાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રેલવે તરફથી કોઈપણ પ્રકારની ભૂલ હોવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. રેલવેએ તેની તપાસ માટે પણ ઈનકાર કર્યો છે. જણાવી દઈએ કે જે કાર્યક્રમમાં આ ઘટના બની, ત્યાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર મુખ્ય અતિથિ તરીકે હાજર હતી.

સિદ્ધુએ સવાલ ઉઠાવ્યો
સિદ્ધુએ કહ્યું કે તપાસના એક દિવસમાં જ લોકો પાયલટને રેલવેએ ક્લીનચીટ આપી દીધી છે. સિદ્ધુએ કહ્યું કે જ્યારે તમે ગાય માટે ટ્રેનને રોકી દો છો, રેલવે ટ્રે પર કોઈ બેઠું હોય તો તેની વિરુદ્ધ તમે એફઆઈઆર દાખલ કરી દો છો પરંતુ આ ઘટના વખતે તમે ટ્રેન પણ ન રોકી શક્યા? સિદ્ધુએ ટ્રેનની ગતિ પર પણ સવાલ ઉઠાવ્યો, કહ્યું કે ટ્રેનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી પણ વધુ હતી.

ગેટમેન પર સવાલ ઉઠાવ્યો
જણાવી દઈએ કે ઘટના બાદ તમામ વિપક્ષી દળોએ આ ઘટનાની તપાસની માગણી કરી છે. અકાળી દળે માગણી કરી છે કે નવજોત સિંહ સિદ્ધુને પંજાબ સરકારમાંથી કાઢી મૂકવામાં આવે. અકાળી દળે નવજોતની પત્ની પર આરોપ લગાવ્યો છે કે તે પ્રશાસનની મંજૂરી નહોતી તેવા કાર્યક્રમમાં હાજરી આપવામાં માટે સિદ્ધુના પત્ની ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળથી થોડે દૂર જ રેલવે ફાટક હતો, જેના પર સવાલ ઉઠાવતા સિદ્ધુએ કહ્યું કે આખરે 300 મીટર દૂર જોટા ફાટક પર ગેટમેને તેની જાણકારી રેલવે ડ્રાઈવરને કેમ ન આપી?
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
