ભારતીય નૌસેનાનું ચેતક હેલિકોપ્ટર ગોવામાં તૂટી પડ્યું, પાયલોટનું મોત

ભારતીય નૌકા દળના અધિકારીના જણાવ્યા અનુસાર ચેતક હેલિકોપ્ટર તેના દૈનિક ક્રમ મુજબ મુંબઇથી મેંગલોર વાયા ગોવા જઇ રહ્યું હતું. તે ગોવામાં ઇંધણ ભરાવવા માટે ઉતરી રહ્યું હતું ત્યારે ખામી સર્જાતા તે તૂટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઑગસ્ટમાં ભારતીય હવાઇ દળના બે એમઆઇ - 17 હેલિકોપ્ટર્સ ગુજરાતના સૌરાષ્ટ્રની હવાઇ પટ્ટીમાં અથડાયાં હતાં. આ દુર્ઘટનામાં ભારતીય હવાઇ દળના તમામ 9 જવાનોનાં મોત થયાં હતાં.












Click it and Unblock the Notifications
