છત્તીસગઢમાં CRPF કેમ્પ પર નક્સલી હુમલો, 3 જવાનો શહિદ, 14 ઘાયલ
છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલી હુમલો થયો છે. સીઆરપીએફના કેમ્પ પર થયેલા હુમલામાં સેનાને મોટી જાનહાનિનો સામનો કરવો પડ્યો છે.
અહેવાલો અનુસાર, નક્સલવાદીઓએ સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પને નિશાન બનાવ્યો. CRPF કેમ્પ પર થયેલા આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે અને 14 જવાનો ઘાયલ થયા છે.

હુમલા બાદ તરત જ ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફોર્સે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.
ANI અનુસાર, બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા પાસે નક્સલવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ સૈનિકોએ જીવ ગુમાવ્યો અને 14 જવાનો ઘાયલ થયા છે. આઈજી બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, આ એ જ જગ્યા છે જ્યાં 2021માં 23 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
સુકમાના જોનાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓને રોકવા મંગળવારે એક સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર ગોળીબાર કર્યો.
જે બાદ જવાનોએ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને વળતો ગોળીબાર કર્યો પરંતુ નક્સલવાદીઓ જંગલમાં ભાગી ગયા. આ અથડામણમાં ગોળી વાગવાથી 3 જવાન શહીદ થયા છે અને 14 ઘાયલ જવાનોને પહેલા હેલિકોપ્ટર દ્વારા જગદલપુર લાવવામાં આવ્યા છે. અહીંથી તેને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.
#UPDATE | Three jawans succumbed to their injuries and 14 remain injured following the exchange of fire with naxals near Jonaguda & Aliguda at Bijapur- Sukma Border. #Chhattisgarh pic.twitter.com/3VWZA84I6w
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 30, 2024
બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા નજીક નક્સલવાદીઓ સાથેના ગોળીબાર પર આઈજી બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, 3 સૈનિકો શહીદ થયા છે. અમારા સૈનિકોએ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો, ઓછામાં ઓછા 6 નક્સલી કેડરોને ઠાર કરાયા છે.
આ ત્રણેય જવાનો ઘટના દરમિયાન ઘાયલ થયા હતા અને પછી શહીદ થયા છે. 14 ઘાયલ સૈનિકોને રાયપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તમામ સૈનિકોની હાલત સ્થિર છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
