Naxal Encounter : છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ મોટુ ઓપરેશન, 30 થી વધુ નક્સલીઓ ઠાર
Naxal Encounter : છત્તીસગઢમાં નક્સલ અભિયાનમાં સેનાને મોટી સફળતા મળી છે. બક્સરના દંતેવાડામાં એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં નક્સલીઓને ઢેર કરી દેવાયા છે.
સમાચારો અનુસાર, એન્કાઉન્ટર બાદ સેનાને 30 જેટલા નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ સેના માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

બસ્તર પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજ પીએ જણાવ્યું કે, નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સરહદ પર અબુઝહમદના થુલથુલી ગામના જંગલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને કોઈ નુકસાન થયુ નથી.
તેમણે કહ્યું કે, નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સ્થિત અબુઝહમદ વિસ્તારમાં નક્સલીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી જિલ્લા રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનોની એક દળ રવાના કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નારાયણપુર-દંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
તેમણે કહ્યું કે, જવાનોને મળેલી આ મોટી સફળતા પ્રશંસનીય છે. હું તેમની હિંમત અને અદમ્ય હિંમતને સલામ કરું છું. નક્સલવાદને ખતમ કરવા માટે શરૂ થયેલી અમારી લડાઈ હવે તેના અંત સુધી પહોંચ્યા પછી જ સમાપ્ત થશે.












Click it and Unblock the Notifications
