નક્સલવાદીઓએ CRPF જવાનોના શબ વિકૃત કરી નાંખ્યા હતા..
છત્તીસગઢમાં CRPF જવાનો પર થયેલ હુમલાની તપાસ અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ એ વિસ્તારના વિકાસના કામમાં મદદ કરવાનો નહીં, પરંતુ જવાનોને પાઠ ભણાવવાનો હતો.
છત્તીસગઢ માં સીઆરપીએફ જવાનો પર થયેલો હુમલો એ હાલના સમયમાં થયેલ સૌથી ભાયવહ અને ક્રૂર હુમલામાંનો એક છે. આ હુમલામાં 25 જવાનોનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલ માહિતી અનુસાર, સીઆરપીએફ જવાનો અને નક્સલવાદી ઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ અથડામણ બાદ જવાનોના જે શબ મળ્યા તે વિકૃત થઇ ચૂક્યાં હતા.

આ હુમલામાં જે રીતે નક્સલવાદીઓએ જવાનોને માર્યા છે, એ બતાવે છે કે તેમણે વેર વાળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના જવાનોના શબ નક્સલવાદીઓએ વિકૃત કરી નાંખ્યા હતા.
આ હુમલાની તપાસમાં બહાર આવ્યું છે કે, હુમલાનો મુખ્ય હેતુ એ વિસ્તારના વિકાસના કામમાં મદદ કરવાનો નહીં, પરંતુ જવાનોને પાઠ ભણાવવાનો હતો. સુકમા ખાતે એક મુખ્ય રોડનું નિર્માણકામ ચાલી રહ્યું છે, જેમાં સીઆરપીએફ જવાનો પણ મદદ કરી રહ્યાં હતા. આ વાતનો નક્સલવાદીઓના મનમાં વિરોધ હતો, કારણ કે રોડનું નિર્માણકામ એટલે વિકાસ અને વિકાસનો અર્થ છે તેમની કહેવાતી વિચારધારા અને ઉદ્દેશ્યનો પરાજય. વધુમાં, આ રોડ તેમના મુખ્ય વિસ્તારોમાંથી થઇને નીકળતો હતો, જે તેમને કોઇ પણ ભોગે મંજૂર નહોતું.
અહીં વધુ એક ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે, નક્સવાદીઓએ આ હુમલામાં લેન્ડમાઇન્સનો ઉપયોગ નથી કર્યો. સ્પષ્ટ છે કે, તેમનો હેતુ સુરક્ષા દળને ગોળીબારમાં વ્યસ્ત કરી તેમના હથિયારો લૂંટવાનો હતો. સીઆરપીએફના કર્મચારી જણાવ્યું કે, તેમનો હેતુ જવાનોને ઇજાગ્રસ્ત કરી હથિયારો લૂંટવાનો હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
