Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નક્સલવાદીઓએ CRPF જવાનોના શબ વિકૃત કરી નાંખ્યા હતા..

છત્તીસગઢમાં CRPF જવાનો પર થયેલ હુમલાની તપાસ અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ એ વિસ્તારના વિકાસના કામમાં મદદ કરવાનો નહીં, પરંતુ જવાનોને પાઠ ભણાવવાનો હતો.

છત્તીસગઢ માં સીઆરપીએફ જવાનો પર થયેલો હુમલો એ હાલના સમયમાં થયેલ સૌથી ભાયવહ અને ક્રૂર હુમલામાંનો એક છે. આ હુમલામાં 25 જવાનોનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલ માહિતી અનુસાર, સીઆરપીએફ જવાનો અને નક્સલવાદી ઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ અથડામણ બાદ જવાનોના જે શબ મળ્યા તે વિકૃત થઇ ચૂક્યાં હતા.

crpf

આ હુમલામાં જે રીતે નક્સલવાદીઓએ જવાનોને માર્યા છે, એ બતાવે છે કે તેમણે વેર વાળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના જવાનોના શબ નક્સલવાદીઓએ વિકૃત કરી નાંખ્યા હતા.

આ હુમલાની તપાસમાં બહાર આવ્યું છે કે, હુમલાનો મુખ્ય હેતુ એ વિસ્તારના વિકાસના કામમાં મદદ કરવાનો નહીં, પરંતુ જવાનોને પાઠ ભણાવવાનો હતો. સુકમા ખાતે એક મુખ્ય રોડનું નિર્માણકામ ચાલી રહ્યું છે, જેમાં સીઆરપીએફ જવાનો પણ મદદ કરી રહ્યાં હતા. આ વાતનો નક્સલવાદીઓના મનમાં વિરોધ હતો, કારણ કે રોડનું નિર્માણકામ એટલે વિકાસ અને વિકાસનો અર્થ છે તેમની કહેવાતી વિચારધારા અને ઉદ્દેશ્યનો પરાજય. વધુમાં, આ રોડ તેમના મુખ્ય વિસ્તારોમાંથી થઇને નીકળતો હતો, જે તેમને કોઇ પણ ભોગે મંજૂર નહોતું.

અહીં વધુ એક ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે, નક્સવાદીઓએ આ હુમલામાં લેન્ડમાઇન્સનો ઉપયોગ નથી કર્યો. સ્પષ્ટ છે કે, તેમનો હેતુ સુરક્ષા દળને ગોળીબારમાં વ્યસ્ત કરી તેમના હથિયારો લૂંટવાનો હતો. સીઆરપીએફના કર્મચારી જણાવ્યું કે, તેમનો હેતુ જવાનોને ઇજાગ્રસ્ત કરી હથિયારો લૂંટવાનો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X