Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NDA નેતાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવા દાવો રજુ કર્યો, આ તારીખે નવી સરકાર લઈ શકે છે શપથ

અટકળો વચ્ચે એનડીએએ રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો છે. એનડીએના નેતાઓ આજે રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા અને દાવો રજુ કર્યો છે.

એક પછી એક બેઠકો પછી NDA નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

NDA

અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મુને મળવા જશે. તેમને PM તરીકે નોમિનેટ કર્યા પછી રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે શપથ ગ્રહણ સમારોહનો સમય અને સ્થળ નક્કી કરશે.

લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને 293 બેઠકો મળી છે, જે 272ના જાદુઈ બહુમતીના આંકડા કરતાં વધુ છે. જો કે, આ વખતે એનડીએનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકથી ઘણી દુર છે.

આ પહેલા શુક્રવારે એનડીએ સંસદીય દળોની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા બાદ મોદી આશીર્વાદ લેવા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા.

સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ ગઠબંધન સૌથી સફળ ગઠબંધન છે. તેમણે કહ્યું કે, આ સત્તા મેળવવા, સરકાર ચલાવવા અથવા અમુક પક્ષો માટે લોકોનો મેળાવડો નથી. આ નેશન ફર્સ્ટની મૂળ ભાવનામાં નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X