યુપીએ કરતા એનડીએ સરકાર સારી હતી: રામગોપાલ યાદવ
રામગોપાલ યાદવે જણાવ્યું કે સ્પષ્ટ છે કે એનડીએની સરકાર યુપીએની સરકાર કરતા સારી હતી. આ સરકારમાં તો રોજ નવો ઘોટાળો સામે આવી રહ્યો છે. આ પહેલા મુલાયમસિંહ યાદવે એક સભામાં જણાવ્યું કે લાલકૃષ્ણ આડવાણી દેશના સૌથી મોટા નેતા છે અને તેઓ ક્યારેય ખોટું નથી બોલતા. આડવાણીએ બીજેપીને પણ સત્યતાવાળી પાર્ટી ગણાવી હતી.
રવિવારે સાંગલીની એક સભામાં મુલાયમસિંહ યાદવે પણ જણાવ્યું કે 2014ની ચૂંટણી અથવા તેના બાદની ચૂંટણીમાં કોઇ એક પાર્ટીની સરકાર નહીં બને. આવનાર સમય ગઠબંધન સરકારોનો છે. એસપી સુપ્રીમોએ સમાન વિચારધારાવાળા દળો સાથે એક મંચ પર આવવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે દેશમાં ગઠબંધનની રાજનીતિ જારી રહેશે. મુલાયમે એ પણ જણાવ્યું કે યુપીમાં પણ એક પાર્ટીની મજબૂત સરકાર બનાવી શકવું સરળ નહી રહે. તેમણે જણાવ્યું કે રાજ્યોમાં ભલે એક સરકાર બની જાય પરંતુ દિલ્હીમાં એવું થવું મુશ્કેલ છે.