NEET Paper Leak : ઝારખંડમાં પત્રકારો સુધી પહોંચ્યો નેટ પેપર લીકનો રેલો, ગુજરાતમાં મોટી કાર્યવાહી
NEET Paper Leak : નીટ પેપર લીકની ઘટનામાં સીબીઆઈ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત અને બિહારમાં કાર્યવાહી વચ્ચે તપાસનો રેલો ઝારખંડમાં પત્રકારો સુધી પહોંચ્યો છે.
સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં ઝારખંડના હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી છે. જમાલુદ્દીન નામનો પત્રકાર હિન્દી અખબાર માટે કામ કરે છે અને ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલને મદદ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની કથિત પેપર લીકમાં શંકાસ્પદ ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી હતી.
આલમનું નામ એનટીએ સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઈ લીકના સંબંધમાં જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પૂછપરછ કરી રહી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 5 મેના રોજ આયોજિત NEET પરીક્ષા માટે આચાર્ય હજારીબાગ જિલ્લા સંયોજક હતા.
આ સિવાય ગુજરાતમાં સીબીઆઈની ટીમો કેટલાક શકમંદોની શોધમાં ગોધરા, ખેડા, અમદાવાદ અને આણંદમાં 7 સ્થળોએ દરોડા પાડી રહી છે. આ અગાઉ ગોધરા પોલીસ દ્વારા તપાસ કરાયેલી FIR સંબંધિત છે.
NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસના ભાગરૂપે સીબીઆઈએ 27 જૂને આ કેસમાં તેની પ્રથમ ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પટનાથી ધરપકડ કરાયેલા બે આરોપીઓ આશુતોષ કુમાર અને મનીષ કુમારે કથિત રીતે એક જગ્યા આપી હતી, જ્યાં લીક થયેલા NEET પ્રશ્નપત્રો અને આન્સર કી પરીક્ષા આપી રહેલા કેટલાક લોકોને આપવામાં આવી હતી.
પ્રથમ એફઆઈઆર 23 જૂને દાખલ કરવામાં આવી હતી, એક દિવસ પછી શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તે પરીક્ષાના સંચાલનમાં કથિત અનિયમિતતાઓની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
