New Cabinet : સ્મૃતિ ઈરાની સહિત 20 મંત્રીઓની ઘર વાપસી, જુઓ પુરૂ લિસ્ટ
New Cabinet : ખરાબ હાર બાદ બીજેપી જોડતોડની સરકાર બનાવવા જઈ રહી છે. આ સરકારમાં મંત્રીપદોની અટકળો વચ્ચે જૂની સરકારમાં રહેલા 20 જેટલા મંત્રીઓના પત્તા કપાયા છે.
અહેવાલો અનુસાર, નરેન્દ્ર મોદીની આગેવાની વાળી કેન્દ્રની નવી સરકારમાં 65 નેતાઓ મંત્રીઓ શપથ લઈ શકે છે.

આ વખતે ભાજપને બહુમતી મળી નથી અને તે એનડીએના સહયોગીઓના બળ પર ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં એનડીએના સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.
આ જ કારણ છે કે આ વખતે કેબિનેટમાંથી ભાજપના કેટલાક મોટા નેતાઓને હટાવવા જઈ રહ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓના નામ છે. ૉ
મોદી સરકારના બીજા કાર્યકાળમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓને મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. એ જ રીતે અનુરાગ ઠાકુર પણ રમતગમત મંત્રાલય સંભાળતા હતા.
જો કે, હવે કુલ 20 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. પીએમ આવાસ પર સંભવિત મંત્રીઓની બેઠક યોજવામાં આવી છે, જેમાં આ નેતાઓ પહોંચ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ વખતે તેમને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં નહીં આવે.
આમાંના કેટલાક નેતાઓ એવા છે જેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કેટલાકને આ વખતે ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ સિવાય કેટલાક નેતાઓ એવા છે જેમને ટિકિટ મળી અને ચૂંટણી જીતી પણ ગયા પરંતુ તેમને મંત્રીમંડળથી દૂર રાખવામાં આવ્યા છે.
અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે એવા નેતાઓ છે જેમણે પોતપોતાની બેઠકો જંગી મતોથી જીતી છે. આ પછી પણ તેમને કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના નથી.
સાધ્વી નિરંજન, આરકે સિંહ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રામાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, ભારતી પંવાર, રાવ સાહેબ દાનવે અને કપિલ પાટીલ આ વખતે ચૂંટણી હારી ગયા છે. આ તમામના પત્તા કપાઈ ગયા છે.
આ સિવાય મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, જનરલ વીકે સિંહ, જોન બાર્લા અને અશ્વિની ચૌબેને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
