New Cabinet : સ્મૃતિ ઈરાની સહિત 20 મંત્રીઓની ઘર વાપસી, જુઓ પુરૂ લિસ્ટ
New Cabinet : ખરાબ હાર બાદ બીજેપી જોડતોડની સરકાર બનાવવા જઈ રહી છે. આ સરકારમાં મંત્રીપદોની અટકળો વચ્ચે જૂની સરકારમાં રહેલા 20 જેટલા મંત્રીઓના પત્તા કપાયા છે.
અહેવાલો અનુસાર, નરેન્દ્ર મોદીની આગેવાની વાળી કેન્દ્રની નવી સરકારમાં 65 નેતાઓ મંત્રીઓ શપથ લઈ શકે છે.

આ વખતે ભાજપને બહુમતી મળી નથી અને તે એનડીએના સહયોગીઓના બળ પર ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં એનડીએના સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.
આ જ કારણ છે કે આ વખતે કેબિનેટમાંથી ભાજપના કેટલાક મોટા નેતાઓને હટાવવા જઈ રહ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓના નામ છે. ૉ
મોદી સરકારના બીજા કાર્યકાળમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓને મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. એ જ રીતે અનુરાગ ઠાકુર પણ રમતગમત મંત્રાલય સંભાળતા હતા.
જો કે, હવે કુલ 20 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. પીએમ આવાસ પર સંભવિત મંત્રીઓની બેઠક યોજવામાં આવી છે, જેમાં આ નેતાઓ પહોંચ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ વખતે તેમને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં નહીં આવે.
આમાંના કેટલાક નેતાઓ એવા છે જેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કેટલાકને આ વખતે ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ સિવાય કેટલાક નેતાઓ એવા છે જેમને ટિકિટ મળી અને ચૂંટણી જીતી પણ ગયા પરંતુ તેમને મંત્રીમંડળથી દૂર રાખવામાં આવ્યા છે.
અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે એવા નેતાઓ છે જેમણે પોતપોતાની બેઠકો જંગી મતોથી જીતી છે. આ પછી પણ તેમને કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના નથી.
સાધ્વી નિરંજન, આરકે સિંહ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રામાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, ભારતી પંવાર, રાવ સાહેબ દાનવે અને કપિલ પાટીલ આ વખતે ચૂંટણી હારી ગયા છે. આ તમામના પત્તા કપાઈ ગયા છે.
આ સિવાય મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, જનરલ વીકે સિંહ, જોન બાર્લા અને અશ્વિની ચૌબેને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
