નવી કેબિનેટ લગભગ નક્કી, જાણો કોને કયુ મત્રાલય આપવામાં આવી શકે છે?
નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લે તે પહેલા વિવિધ મંત્રાલયોને લઈને અટકળો તેજ છે. જો કે આ અટકળો વચ્ચે હવે ચિત્ર ધીરે ધીરે સાફ થઈ રહ્યું છે.
શપથ લેવા જ 73 વર્ષીય નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સિદ્ધિની બરાબરી કરશે. પંડિત નેહરુ 1952, 1957 અને 1962 ની સામાન્ય ચૂંટણી જીત્યા હતા અને સતત ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા.

આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના લોકસભા સભ્ય કે રામ મોહન નાયડુ અને ચંદ્ર શેખર પેમ્માસાની શપથ ગ્રહણ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
પૂર્વ ટીડીપી સાંસદ ગલ્લા જયદેવના જણાવ્યા અનુસાર, શ્રીકાકુલા લોકસભાના સાંસદ રામ મોહન નાયડુને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે, જ્યારે ગુંટુરના સાંસદ પેમ્માસાનીને રાજ્ય મંત્રીનો દરજ્જો મળશે.
મોદીએ સત્તા જાળવી રાખી છે પરંતુ લોકસભા ચૂંટણીમાં ભાજપનું આશ્ચર્યજનક રીતે નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. બેઠકોની સંખ્યા 303 થી ઘટીને 240 થઈ ગઈ છે, જે બહુમતી 272ના આંકડા કરતા ઘણી ઓછી છે.
અમિત શાહ અને રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સરકારમાં પ્રતિનિધિત્વ માટે સાથી પક્ષોને મળી રહ્યા છે, જેમાં તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના નીતિશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે પરામર્શ કરી રહ્યા છે.
લાગી રહ્યું છે કે, શિક્ષણ અને સંસ્કૃતિ ઉપરાંત, ગૃહ, નાણાં, સંરક્ષણ અને વિદેશ જેવા હેવીવેઇટ વિભાગો, મજબૂત વૈચારિક રંગ ધરાવતા બે મંત્રાલયો ભાજપ પાસે રહેશે, જ્યારે તેના સાથી પક્ષોને પાંચથી આઠ કેબિનેટ બર્થ મળી શકે છે.
શિવરાજ સિંહ ચૌહાણ, બસવરાજ બોમાઈ, મનોહર લાલ ખટ્ટર અને સર્બાનંદ સોનોવાલ જેવા લોકસભાની ચૂંટણી જીતેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સરકારમાં જોડાવા માટે પ્રબળ દાવેદાર છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાજનાથ સિંહને ફરી એકવાર રક્ષા મંત્રાલયની કમાન સોંપવામાં આવી શકે છે. જ્યારે ગૃહ મંત્રાલય ફરી એકવાર અમિત શાહ પાસે રહે તેવી શક્યતા છે.
ટીડીપીના રામ મોહન નાયડુ, જેડી(યુ)ના લલન સિંહ, સંજય ઝા અને રામ નાથ ઠાકુર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન એ સાથી પક્ષોમાં સામેલ છે જેઓ નવી સરકારનો ભાગ બની શકે છે. સૂત્રો અનુસાર, સિંહ અથવા ઝાને જેડી(યુ) ક્વોટામાંથી સ્થાન આપવામાં આવશે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
