પશુઓથી રેલવેને નુકસાન અટકાવવા નવી ડિઝાઈન મંજુર, છ મહિનામાં અમલ કરાશે!
છેલ્લા કેટલાક સમયથી રેલ્વે સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ સતત ઘટી રહી છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન પણ પશુઓ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના આગળના ભાગને મોટુ નુકસાન થયુ હતું. હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી રેલ્વે સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ સતત ઘટી રહી છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન પણ પશુઓ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના આગળના ભાગને મોટુ નુકસાન થયુ હતું. હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે.

આ મામલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનના પાટા પર પ્રાણીઓના અકસ્માતોને રોકવા બાઉન્ડ્રી વોલની નવી ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે. આ નવી બાઉન્ડ્રી વોલ આગામી 5-6 મહિનામાં લગાવવામાં આવશે. આનાથી મોટા પ્રાણીઓને ટ્રેક પર આવતા અટકાવવામાં મદદ મળશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં વંદે ભારત ટ્રેન સાથે પશુઓનું ટોળુ અથડાયુ હતું. મુંબઈથી ગાંધીનગર આવી રહેલી ટ્રેન સાથે તે આ અકસ્માત થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન સામે અચાનક ઘણા પશુંઓ આવી ગયા હતા. ટક્કર બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું.
આ એક ઘટના નથી, આ પહેલા 29 ઓક્ટોબરે વલસાડ નજીક એક પશુ વંદે ભારત ટ્રેનની ઝપેટમાં આવી ગયું હતું. જેના કારણે ટ્રેનને લાંબા સમય સુધી રોકવી પડી હતી. અહીં તમને જણાવી દઈએ કે, વંદે ભારત સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થયેલી ટ્રેન છે, અકસ્માત પછી તરત જ તેના આગળના ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વારંવાર થતા અકસ્માતને લઈને હવે રેલવે પણ સખત જોવા મળી રહી છે. હાલ રેલવેએ કેટલાક ગામોના સરપંચોને પત્રો લખ્યા છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ ગ્રામજનોને સમજાવે કે વંદે ભારત કોરિડોર પાસે ઢોર ન લઈ જાય. જો ભવિષ્યમાં ઢોરને કારણે કોઈ ઘટના બનશે તો તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
