પશુઓથી રેલવેને નુકસાન અટકાવવા નવી ડિઝાઈન મંજુર, છ મહિનામાં અમલ કરાશે!
છેલ્લા કેટલાક સમયથી રેલ્વે સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ સતત ઘટી રહી છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન પણ પશુઓ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના આગળના ભાગને મોટુ નુકસાન થયુ હતું. હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી રેલ્વે સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ સતત ઘટી રહી છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન પણ પશુઓ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના આગળના ભાગને મોટુ નુકસાન થયુ હતું. હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે.

આ મામલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનના પાટા પર પ્રાણીઓના અકસ્માતોને રોકવા બાઉન્ડ્રી વોલની નવી ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે. આ નવી બાઉન્ડ્રી વોલ આગામી 5-6 મહિનામાં લગાવવામાં આવશે. આનાથી મોટા પ્રાણીઓને ટ્રેક પર આવતા અટકાવવામાં મદદ મળશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં વંદે ભારત ટ્રેન સાથે પશુઓનું ટોળુ અથડાયુ હતું. મુંબઈથી ગાંધીનગર આવી રહેલી ટ્રેન સાથે તે આ અકસ્માત થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન સામે અચાનક ઘણા પશુંઓ આવી ગયા હતા. ટક્કર બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું.
આ એક ઘટના નથી, આ પહેલા 29 ઓક્ટોબરે વલસાડ નજીક એક પશુ વંદે ભારત ટ્રેનની ઝપેટમાં આવી ગયું હતું. જેના કારણે ટ્રેનને લાંબા સમય સુધી રોકવી પડી હતી. અહીં તમને જણાવી દઈએ કે, વંદે ભારત સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થયેલી ટ્રેન છે, અકસ્માત પછી તરત જ તેના આગળના ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વારંવાર થતા અકસ્માતને લઈને હવે રેલવે પણ સખત જોવા મળી રહી છે. હાલ રેલવેએ કેટલાક ગામોના સરપંચોને પત્રો લખ્યા છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ ગ્રામજનોને સમજાવે કે વંદે ભારત કોરિડોર પાસે ઢોર ન લઈ જાય. જો ભવિષ્યમાં ઢોરને કારણે કોઈ ઘટના બનશે તો તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
