For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 જુલાઇ: ટ્વિટર પર સૌથી ત્રીજા લોકપ્રીય રાજનેતા છે મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જુલાઇ: આજના મુખ્ય સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ ઇરાક સંકટની. ઇરાકમાં ઉગ્રવાદીઓએ 46 ભારતીય નર્સોને બંધક બનાવી રાખી હતી. જોકે રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે આઇએસઆઇએસ દ્વારા બંધક બનાવવામાં આવેલ આ 46 ભારતીય નર્સોને મુક્ત કરી દેવામાં આવી છે, અને તેઓ આવતીકાલે સ્વદેશ પાછી ફરશે. આ અંગેની માહિતીની ખરાઇ કેરેલાના મુખ્યમંત્રીએ કરી છે.

આજના અન્ય સમાચારો પર નજર કરીએ તો નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે. તેમણે આજે કટરા-ઉધમપુર ટ્રેનનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલમંત્રી સદાનંદ ગૌડાની સાથે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનથી જમ્મુ જનારી ટ્રેનને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને ઇચ્છા રાખીએ છીએ કે આ પ્રદેશ સમૃદ્ધ તથા શાંતિપૂર્ણ બને. મોદીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય વિકાસના માધ્યમથી જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકનું દિલ જીતવાનો છે.

અન્ય સમાચાર જુઓ સ્લાઇડરમાં...

46 ભારતીય નર્સ આવતીકાલે ઇરાકથી પાછી ફરશે

46 ભારતીય નર્સ આવતીકાલે ઇરાકથી પાછી ફરશે

ઇરાકમાં ઉગ્રવાદીઓએ 46 ભારતીય નર્સોને બંધક બનાવી રાખી હતી. જોકે રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે આઇએસઆઇએસ દ્વારા બંધક બનાવવામાં આવેલ આ 46 ભારતીય નર્સોને મુક્ત કરી દેવામાં આવી છે, અને તેઓ આવતીકાલે સ્વદેશ પાછી ફરશે. આ અંગેની માહિતીની ખરાઇ કેરેલાના મુખ્યમંત્રીએ કરી છે.

મોદીએ કટરા-ઉધમપુર ટ્રેનનું ઉદઘાટન કર્યું

મોદીએ કટરા-ઉધમપુર ટ્રેનનું ઉદઘાટન કર્યું

નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે. તેમણે આજે કટરા-ઉધમપુર ટ્રેનનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલમંત્રી સદાનંદ ગૌડાની સાથે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનથી જમ્મુ જનારી ટ્રેનને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને ઇચ્છા રાખીએ છીએ કે આ પ્રદેશ સમૃદ્ધ તથા શાંતિપૂર્ણ બને. મોદીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય વિકાસના માધ્યમથી જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકનું દિલ જીતવાનો છે.

હાફિજ સઇદ દેખાયો ભારતની બોર્ડર પર

હાફિજ સઇદ દેખાયો ભારતની બોર્ડર પર

'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી હાફિજ સઇદ રાજસ્થાનને અડીને આવેલા ગામમાં જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાફિજ સઇદ સિંઘ પ્રાંતમાં આતંકવાદી શિબિરો લગાવવા અને સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવ્યો હતો.

Read more at:

રમઝાન દરમિયાન યુપીમાં રમખાણ કરાવી શકે છે ISI

રમઝાન દરમિયાન યુપીમાં રમખાણ કરાવી શકે છે ISI

ઉત્તર પ્રદેશ પોલીસે મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાથી અપીલ કરી છે કે રમઝાન દરમિયાન જો એવી વાત આવે જેનાથી કોમી રમખાણ ફાટી નીકળે, તો તેને ગણકારવું નહીં કારણ કે તે માત્ર અફવા હોઇ શકે છે. આવી અફવાહને ફેલાવવાનું કામ કોઇ બીજું નહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ કરી શકે છે.

મોદી અને ઓમર વચ્ચે ગુફ્તેગૂ

મોદી અને ઓમર વચ્ચે ગુફ્તેગૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઘાટી પ્રવાસે છે. મોદીએ આજે કટરા-ઉધમપુરની ટ્રેનનું ઉદઘાટન કર્યું. દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઓમાર અબ્દુલ્લાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બીજા સાથે ગુફ્તેગૂ કરી હતી.

ઓમાન ચાંડી મળ્યા સુષમા સ્વરાજને

ઓમાન ચાંડી મળ્યા સુષમા સ્વરાજને

કેરળના મુખ્યમંત્રી ઓમાન ચાંડી આજે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મળ્યા. મુખ્યમંત્રીએ સુષમા સ્વરાજને રાજ્યની નર્સોને ઇરાકમાં બંધક બનાવાયા અંગે ચર્ચા કરી હતી.

નામા મંત્રીએ કરી ચર્ચા

નામા મંત્રીએ કરી ચર્ચા

કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી સાથે ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાન અને કૃષિમંત્રી રાધા રામ મોહન સિંહે બેઠક કરી હતી.

Minsk

Minsk

મિનિસ્કમાં સ્વાતંત્ર દિવસના રોજ ફાયર ફાટર વિમાન દ્વારા કરતબ બતાવવામાં આવ્યા હતા.

ટ્વિટર પર સૌથી ત્રીજા લોકપ્રીય રાજનેતા છે મોદી

ટ્વિટર પર સૌથી ત્રીજા લોકપ્રીય રાજનેતા છે મોદી

ટ્વિટર પર રાજનૈતિક દુનિયાના ત્રીજી સૌથી મોટી શખ્સિયત બનીને સામે આવ્યા છે, આ લિસ્ટમાં પહેલા નંબર પર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો આવે છે. 25 જૂનના રોજ નરેન્દ્ર મોદી આ રેસમાં વ્હાઇટ હાઉસને પાછળ રાખી ચોથા નંબર પર આવી ગયા હતા. ત્યારબાદ તેમણે ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ એસ બી યુદ્ધોયોનોને પણ પાછળ રાખી દઇ ત્રીજા સ્થાન પર આવી ગયા છે.

English summary
News of 4 July: 46 Indian nurses back to India tomorrow from Iraq, and other news with pic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X