June 23: કુડનકુલમ પરમાણુ પ્લાન્ટની પાસે 8 બોમ્બ વિસ્ફોટ
તમિલનાડુ, 23 જૂન: તમિલનાડુના કુડનકુલમ પરમાણું પ્લાન્ટની પાસે આજે સવારે આઠ દેશી બોમ્બ વિસ્ફોટ થયા. જોકે આ વિસ્ફોટમાં કોઇને પણ કોઇ પ્રકારની જાન-હાની કે નુકસાન થયાના સમાચાર નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
જાણકારી અનુસાર આ વિસ્ફોટ કુડનકુલમની પાસે આવેલા એક ગામના બે જૂથો વચ્ચેની અથડામણના કારણે થયા હતા. ગામના બે જૂથ વચ્ચે કોઇ વાતને લઇને ઝગડો શરૂ થઇ ગયો. જોતજોતામાં આ નજીવા ઝગડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને જૂથોએ સામસામે બોમ્બ વિસ્ફોટ કરી દીધા. કુડનકુલમની પાસે થયેલા આ બોમ્બ વિસ્ફોટથી એક વાર ફરી ત્યાની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે.
અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ આ પ્રકારે જ કુડનકુલમની પાસે જ ગામના બે જૂથોએ અંદરો અંદરની લડાઇમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.
દેશ-દુનિયાના અન્ય સમાચારો પર નજર કરીએ તો ઇરાકમાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ ઇરાકમાં દબદબો વધતો જઇ રહ્યો છે. કત્લેઆમ થઇ રહ્યું છે. ખાસ કરીને ભારતીય લોકોને નિશાનો બનાવીને તેમને બંધક બનાવવામાં આવી રહ્યા છે.
વધુ સમાચારો જુઓ સ્લાઇડરમાં...
પ્રીતિ ઝિંટા આજે પોતાનું નિવેદન નોંધાવશે
નેસવાડીયા સામે છેડતી અને અભદ્ર બોલ બોલવાનો આરોપ લગાવનાર અભિનેત્રી પ્રીતિ ઝિંટા આજે પોતાનું ઓફિસિયલ નિવેદન નોંધાવવાની છે પરંતુ તે પહેલા તે કાયદાકિય સલાહ લેશે.
|
સ્મૃતિ ઇરાની સામે શિક્ષકોનું પ્રદર્શન
મુલાકાતી શિક્ષકોએ સ્મૃતિ ઇરાનીને કહ્યું 'શિક્ષકોને કાયમી રોજગાર આપો ત્યારે જ સારા દિવસો આવશે.'
|
વેંકૈયા નાયડુ દિલ્હી મેટ્રોમાં
શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી.
યુજીસીના આદેશમાં એચઆરડી મંત્રાલય દખલ નહી આપે
સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે યુજીસીના આદેશમાં એચઆરડી મંત્રાલય દખલ નહી આપે. તેમણે જણાવ્યું કે યુજીસી સુપ્રીમ છે અને યુનિવર્સિટીઓએ તેનો આદેશ માનવો જોઇએ.
શ્રીનગર બંધ
જેકેએલએફ દ્વારા શ્રીનગરમાં અપાયેલા બંધના કારણે જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.
પિયૂષ ગોયેલ
ઊર્જા મંત્રી પિયુષ ગોયેલ આર્થિક સંસ્થાનો અને બેંકના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી.
મુંબઇ આસપાસ
આમિર ખાન અને તેમના પત્ની કિરણ રાઓ સ્ટાર પરિવાર એવોર્ડમાં આવ્યા હતા.
યુએસ સેક્રેટરી બગદાદમાં
યુએસ સેક્રેટરી જ્હોન કેરીએ ઇરાકમાં ઉગ્રવાદી સંકટના પગલે બગદાદમાં વડપ્રધાન નૂરી અલ મલીકી સાથે મુલાકાત કરી હતી.
એન્સાયક્લોપિડિયા ઓફ હિન્દુઇઝમ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એન્સાયક્લોપિડિયા ઓફ હિન્દુઇઝમનું ઉદઘાટન કર્યું હતું.
રાજનાથ સિંહ મુકુલ સંગમા સાથે
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મેઘાલયાના મુખ્યમંત્રી મુકુલ સંગમાએ મુલાકાત કરી હતી.
મુંબઇમાં વિરોધ
કોંગ્રેસના કાર્યકરોએ મુંબઇમાં આજે રેલવે ભાડાનો વિરોધ નોંધાવ્યો હતો.
મુંબઇમાં રેલવે ભાડાનો વિરોધ
કોંગ્રેસના કાર્યકરોએ મુંબઇમાં આજે રેલવે ભાડાનો વિરોધ નોંધાવ્યો હતો.
કેમ્પાકોલામાં વીજળી ગૂલ
બીએમસીએ આજે કેમ્પા કોલા સોસાયટીમાંથી ઓફીસીયલી વીજ પ્રવાહ કાપી લીધો હતો.
કેમ્પા કોલા
બીએમસીએ આજે કેમ્પા કોલા સોસાયટીમાંથી ઓફીસીયલી ગેસ લાઇનને પણ કાપી લીધી હતી.
આમિર મળ્યા મોદીને
મિસ્ટર પરફેક્ટનીસ્ટ મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. આમિરખાને મોદીને તેમના જાણીતા સામાજિક કાર્યક્રમ સત્યમેવ જયતેની સીડી આપી હતી.