રોડ શો બાદ બોલ્યા અમિત શાહ- કોઈને મારવા નહિ, હૈદરાબાદ સુધારવા આવ્યા છીએ

રોડ શો બાદ બોલ્યા અમિત શાહ- કોઈને મારવા નહિ, હૈદરાબાદ સુધારવા આવ્યા છીએ

હૈદરાબાદઃ ગ્રેટર હૈદરાબાદ મહાનગરપાલિકાની 150 સીટ માટે સંગ્રામ હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. 1 ડિસેમ્બર 2020ના રોજ થનાર માટે ભારતીય જનતા પાર્ટીએ આખી તાકાત લગાવી દીધી છે. બાજપી નેતા તેજસ્વી સૂર્યા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી માટે હૈદરાબાદમાં મેગા રોડ શો કર્યો. પોતાના રોડ શો બાદ અમિત શાહે પત્રકારોને પણ સંબોધિત કર્યા છે. ગૃહમંત્રીએ રોડ શોમાં મળેલ સમર્થનને જોતાં ભરોસો જતાવ્યો કે આ વખતે હૈદરાબાદમાં મેયર ભાજપના જ હશે.

amit shah

હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'રોડ શોને જોઈ મને ભરોસો છે કે ભાજપ આ વખતે સીટ વધારવા માટે, સંગઠન વધારવા માટે નથી લડી રહી, આ વખતે ચૂંટણી બાદ હૈદરાબાદના મેયર ભાજપના હશે, હૈદરાબાદની જનતાએ આ સ્પષ્ટ કરી દીધું છે.' તેમણે આગળ કહ્યું કે, હૈદરાબાદની અંદર વિશ્વ ભરી આઈટી હબ બનવાની તમામ સંભાવના છે પરંતુ આઈટી હબ ત્યારે જ બને છે જ્યારે અહીં તેને અનુરુપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને. શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાની જવાબદારી મ્યૂનિસિપલ કોર્પોરેશનના હાથમાં હોય છે.

આ દરમ્યાન રોહિંગ્યા મામલે ઓવૈસીના આરોપો પર બોલતાં અમિત શાહે કહ્યું કે જ્યારે હું કાર્યવાહી કરું છું તો આ લોકો બુમાબુમ કરવા લાગે છે. માત્ર ચૂંટણી દરમ્યાન બોલવાથી કામ થોડું થાય છે. અમે કોઈને મારવા નહિ બલકે હૈદરાબાદને સુધારવા આવ્યા છીએ. જણાવી દઈએ કે રવિવારે ગૃહમંત્રી અમિત શાહ પણ હૈદરાબાદ હપોંચ્યા છે. અહીં તેમણે હૈદરાબાદના સિકંદરાબાદમાં રોડ શો કર્યો છે. આ રોડ શો પહેલા ગૃહમંત્રીએ ભાગ્ય લક્ષ્મી મંદિરમાં જઈ પૂજા અર્ચના કરી હતી. હૈદરાબાદ મહાનગરપાલિકા ચૂંટણી 1 ડિસેમ્બરે થશે અને તેના પરિણામ 4 ડિસેમ્બરે ઘોષિત કરી દેવામાં આવશે. આ ચૂંટણી 150 સીટ માટે થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X